Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

યુપીમાં સામે આવી વિચિત્ર ઘટના

૫૨ વર્ષના શખ્સે કર્યા ૧૦ લગ્નો : છતાં ન્હોતા થતાં સંતાન : ૩ પત્ની ચાલી ગઇ : હવે પ્રોપર્ટી માટે થઇ હત્યા

બરેલી તા. ૨૩ : ઉત્તરપ્રદેશના બરેલીમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જયાં ભોજીપુરા વિસ્તારમાં બુધવારે રાતે ૫૨ વર્ષના એક વ્યકિતની હત્યા કરવામાં આવી. આ વ્યકિતએ ૧૦થી વધારે વાર લગ્ન કર્યાં. આ વ્યકિતની હત્યા અજાણ્યા લોકોએ કરી. હાલ તો પોલીસ કેસ દાખલ કરીને હત્યારાઓની શોધખોળ કરવામાં લાગી છે.

જગનલાલ યાદવ નામના એક ખેડૂતને કરોડો રુપિયાની પૈતૃક સંપત્ત્િ। વિરાસતમાં મળી હતી. તેઓ પોતાની સંપત્ત્િ। તેમની સાથે રહેલા ૨૪ વર્ષના વ્યકિતના નામ પર ટ્રાન્સફર કરવાના હતાં. આ યુવક જગનલાલનો દત્તક પુત્ર માનવામાં આવતો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર જગનલાલના આ નિર્ણય પર તેના મોટા ભાઈને વાંધો હતો અને તે નાખુશ હતાં.

જગનલાલે પહેલા લગ્ન ૯૦ના દશકની શરૂઆતમાં કર્યા હતાં. તેમની પાંચ પત્નીઓની કથિત રીતે બીમારીથી મોત થઈ ગયું. પાંચ પત્નીઓના મોત ઉપરાંત તેની ૩ પત્નીઓએ પણ તેને છોડીને ચાલી ગઈ હતી અને અન્ય પુરૂષો સાથે રહેવા લાગી હતી. તેની હાલ બે પત્નીઓ જીવીત છે અને પશ્ચિમ બંગાળના છે. બન્નેની ઉંમર ૩૫ અને ૪૦ વર્ષ છે.

પોલીસે કહ્યું કે બન્ને પત્નીઓનો દાવો છે કે તેમને જગનલાલના પરીણિત જીવન વિશે કોઈ જ જાણકારી નહોતી. જગનલાલનો મૃતદેહ ખેતરમાં મળ્યો હતો. તેમની મફલરથી ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસને શક છે કે જગનલાલની હત્યા તેની સંપત્ત્િ।ના કારણે જ થઈ હતી.

પોલીસે જણાવ્યું કે અમને શંકા છે કે તેની હત્યા પોતાની સંપત્તિના કારણે જ થઈ છે. આ સંપત્તિ રસ્તાની પાસે જ છે અને તેની કિંમત કરોડોમાં છે. સ્થાનીક ગામના લોકોએ જણાવ્યું કે તે વારંવાર લગ્ન કરી રહ્યો હતો પરંતુ તેને કોઈ સંતાન નહોતું. એક યુવક તેની સાથે રહે છે. જે યુવક તેની પત્નીના પહેલા પતિથી પેદા થયો હતો.

(10:17 am IST)