Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

દિલ્હીમાં કોરોનાના નવા 11486 કેસ : વધુ 45 લોકોના મૃત્યુ:10 જૂન પછી એક દિવસમાં સૌથી વધુ દર્દીના મોત

છેલ્લા 24 કલાકમાં 14802 લોકો સંક્રમણથી સાજા થયા :દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર ઘટીને 16.36 ટકા પર આવ્યો

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોના ચેપના 11486 નવા કેસ નોંધાયા છે, જ્યારે 45 દર્દીઓના મોત થયા છે. હાલમાં રાજધાનીમાં કોરોના સંક્રમણનો દર ઘટીને 16.36 ટકા પર આવી ગયો છે. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 14802 લોકો સંક્રમણથી સાજા થયા છે, એટલે કે સાજા થયેલા લોકોની સંખ્યા નવા સંક્રમિતો કરતા વધુ છે.11486 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. શુક્રવારની સરખામણીમાં દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર ઘટીને 16.36 પર આવી ગયો છે.

(9:34 pm IST)