Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા અનિલ દેશમુખને આપેલા જામીનને સમર્થન આપ્યું :સીબીઆઈ દ્વારા બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલને નામદાર કોર્ટે ફગાવી


ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અનિલ દેશમુખને તેમની વિરુદ્ધના ભ્રષ્ટાચારના કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરાયેલ જામીનની પુષ્ટિ કરી છે.કોર્ટે નોંધ્યું હતું કે દેશમુખને આ જ મુદ્દાના સંબંધમાં મની લોન્ડરિંગ કેસમાં અગાઉ જામીન આપવામાં આવ્યા હતા. [સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન વિરુદ્ધ અનિલ દેશમુખ]

સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અનિલ દેશમુખને તેમની [સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન વિરુદ્ધ અનિલ દેશમુખ] વિરુદ્ધના ભ્રષ્ટાચારના કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરાયેલ જામીનની પુષ્ટિ કરી છે.

ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ અને જેબી પારડીવાલાની બેન્ચે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલને ફગાવી દીધી હતી.
 

દેશમુખ અને તેના સહયોગીઓની 2019 અને 2021 વચ્ચેના કથિત ભ્રષ્ટાચાર માટે તપાસ કરવામાં આવી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(8:03 pm IST)