Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

જીંદાલ પાવર લીમીટેડ (જેપીએલ)એ ભૂતપૂર્વ બ્યુરોક્રેટ અનિલકુમાર ઝા ની ચેરમેન તરીકે નિમણુક ની સોમવારે જાહેરાત કરી હતી

ખાણ ઉદ્યોગની મોટી હસ્તી એવા ઝા કોલ ઇન્ડીયા લીમીટેડમાં ભૂતપૂર્વ ચેરમેત તરીકે રહી ચૂકયા હોવાનું જેપીએલ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે જે પી એલએ સ્ટીલ ઉત્પાદક જીન્દાલ સ્ટીલ એન્ડ પાવર લીમીટેડ (જેએસપીએલ)ની સહયોગી કંપની છે.

સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે ઝા મેઇન પ્લાનીંગ, ઉત્પાદન, વહીવટ, સુપરવીઝન, ડાયરેકશન તેમજ અન્ડર ગ્રાઉન્ડ અને ઓપન કાસ્ટ માઇન્સનો ૩૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.

ઝા ની નિમણુંક બાબતે જે એસપીએલના ચેરમેન નવીન જીંદાલે કહ્યું કે અમે જે પી એલ ગ્રુપમાં અનિલ કુમાર ઝા ને આવકારીએ છીએ. અમને વિશ્વાસ છે કે તેમના બહોળા અનુભવના કારણે જેપીએલ નવી ઊંચાઇઓને આંબીને ભારતને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બનશે. અમે તેમને જેપીએલમાં બહુ સફળતા મળે તેવી આશા વ્યકત કરીએ છીએ.

ઝા એક માઇનીંગ ગ્રેજ્યુએટ છે અને તેઓ ઇન્ડીયન સ્કૂલ ઓફ માઇન્સ, ધનબાદની એમ ટેક ડીગ્રી ધરાવે છે. તેમણે ૧૯૮૩માં કોલ ઇન્ડીયામાં જૂનિયર એકઝીકયુટીવ તરીકે જોડાઇને પોતાની કારકીર્દી શરૂ કરી હતી.

૨૦૧૫માં તેઓ મહાનદી કોલફીલ્ડ લીમીટેડમાં સીએમડી તરીકે જોડાયા હતા. જેપીએલ છત્તીસગઢના રાયગઢ જીલ્લામાં ૩૪૦૦ મેગાવોટની સ્થાપિત વિજક્ષમતા સાથેનો પાવર પ્લાન્ટ ચલાવે છે.

(2:41 pm IST)