Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રાજસ્થાન કોંગ્રેસમાં પાયલટ ઉપર ગેહલોત ભારે પડ્યા

કોંગ્રેસની ચિંતન શિબિર બાદ ગહેલોત વધુ મજબૂત બન્યાઃરાજસ્થાન વિધાનસભા ચૂંટણી ૨૦૨૩માં યોજાનારી ચૂંટણી અશોક ગેહલોતના નેતૃત્વમાં જ લડવામાં આવશે

કોંગ્રેસની ચિંતન શિબિર બાદ સીએમ અશોક ગેહલોત મજબૂત બનીને ઉભર્યા છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ની ચૂંટણી ગેહલોતના નેતૃત્વમાં જ લડવામાં આવશે. ચિંતન શિબિરમાં પાર્ટી હાઈકમાન્ડે સચિન પાયલોટની ભૂમિકાને લઈને સ્પષ્ટ રીતે કોઈ સંકેત આપ્યા નથી. મતલબ સ્પષ્ટ છે કે રાજસ્થાન કોંગ્રેસમાં તે જ થશે તે ગેહલોત ઈચ્છશે. રાજસ્થાનના રાજકારણમાં સચિન પાયલોટ કરતા પહેલા પણ ગેહલોત કેટલાક દિગ્ગજોને માત આપી ચૂક્યા છે. પ્રદેશના રાજકારણમાં સીએમ અશોક ગેહલોત સાથે જે પણ ગૂંચવાયો તે વધુ ગૂંચવાતો રહે છે. વર્ષ ૨૦૨૦માં પાયલોટની બગાવતના સમયે ગેહલોતે યોગ્ય સમયે સંકટને માપતા ૧૦૯ ધારાસભ્યોનુ સમર્થન પ્રાપ્ત કરી લીધુ હતુ. પરિણામ એ આવ્યું કે પાયલોટ કેમ્પને સમાધાન કરવું પડ્યું. રાજસ્થાન કોંગ્રેસની અંદર મચેલા રાજકીય ઘમાસાણમાં અશોક ગેહલોત એકવાર ફરી સચિન પાયલોટ પર ભારે પડતા જોવા મળી રહ્યા છે.

રાજસ્થાનના રાજકારણમાં સચિન પાયલોટ કોંગ્રેસના પહેલા નેતા નથી જેમને સીએમ ગેહલોતે વ્યૂહાત્મક રીતે માત આપી છે. પાયલોટે પહેલા ગેહલોત પાસેથી માત ખાનારા નેતાઓની લાંબી યાદી છે. રાજસ્થાનમાં રાજકારણના બાદશાહ મનાતા હરદેવ જોશી, પરસરામ મદેરણા, નટવર સિંહ, શિવચરણ સિંહ માથુર અને સીપી જોશી સહિત તમામ રાજકીય નેતાઓને ગેહલોત રાજકારણમાં હાર આપવામાં સફળ રહ્યા છે. રાજસ્થાનમાં ૯૦ના દાયકામાં કોંગ્રેસમાં હરદેવ જોશી, પરસરામ મદેરણા અને શિવચરણ માથુર જેવા દિગ્ગજોનુ વર્ચસ્વ હતુ. દિગ્ગજ જાટ નેતા પરસરામ મદેરણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ થયા કરતા હતા. પરસરામ મદેરણાના સમયે કોંગ્રેસને ૧૯૯૦ અને ૯૩માં હારનો સામનો કરવા પડ્યો હતો. ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૧૫૩ બેઠક મળી હતી. એવામાં પહેલો દાવો કોંગ્રેસના દિગ્ગજ નેતા પરસરામ મદેરણા હતા. બીજો દાવો વરિષ્ઠ નેતા નટવર સિંહનો કરવામાં આવ્યો હતો. નટવર સિંહ ગાંધી પરિવારના નજીકના હતા.

રાજસ્થાન પ્રદેશ પ્રભારી માધવરાવ સિંધિયા, મોહસિના કિદવઈ, ગુલામ નબી આઝાદ અને બલરાજ જાખડની એક હોટલમાં બેઠક થઈ. તમામ ધારાસભ્યોને એક-એક કરીને બોલાવ્યા. મુખ્યમંત્રી કોને બનાવવામાં આવે. આ પ્રશ્ન પર ધારાસભ્યો પાસેથી મત લેવામાં આવી રહ્યો હતો. ધારાસભ્યોની પસંદ જાણ્યા બાદ તેમને એક લાઈનમાં જવાબ આપવામાં આવતો. આ દરમિયાન થોડા સમય માટે બલરામ જાખડ હોટલમાંથી બહાર નીકળ્યા હતા. એક મેસેજના દિગ્ગજ જાટ નેતા પરસરામ મદેરણા પર સીએમ ગેહલોત ભારે પડી ગયા. અશોક ગેહલોત પહેલીવાર ૧૯૯૮માં રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા.

ઉદયપુરમાં થયેલા કોંગ્રેસના ચિંતન શિબિરમાં અશોક ગેહલોત સાથે રાહુલ ગાંધીનુ બસમાં એક જ બેઠક પર બેસીને જવુ રાજકીય રીતે બધુ વ્યક્ત કરી દે છે. ચિંતન શિબિર દરમિયાન પાર્ટી હાઈકમાન્ડ સોનિયા ગાંધીએ ગેહલોત પર ધ્યાન આપ્યુ છે. અર્થ સ્પષ્ટ છે કે રાજસ્થાનના રાજકારણમાં ગેહલોતથી મોટો નેતા કોઈ નથી. પાયલોટની ભૂમિકાને લઈને ચિંતન શિબિરમાં એક અભિપ્રાય નક્કી કર્યો નથી. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ૨૦૨૩માં પાયલોટની ભૂમિકા શુ રહેશે.

 આ પ્રશ્નનો જવાબ પાર્ટી હાઈકમાન્ડ તરફથી આવ્યો નથી. સચિન પાયલટ પહેલા જ રાજસ્થાનથી બહાર જવાથી ઈનકાર કરી ચૂક્યા છે. પાયલોટ સમર્થકોની બેચેની એટલે વધારે વધી ગઈ છે કે બગાવત બાદથી જ સચિન પાયલટ કોઈ પદ વિનાના છે. પહેલા પાયલોટના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા જવાની ચર્ચા હતી પરંતુ ગેહલોતના નજીકના ગોવિંદ સિંહ ડોટાસરા પ્રદેશ અધ્યક્ષનુ પદ છોડવા માટે તૈયાર નથી.ે

 

(8:52 pm IST)