Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

દેશમાં કોરોના કેસનો આંકડો 3 કરોડને પાર પહોંચ્યો : 50 દિવસમાં એક કરોડ કેસ વધ્યા

નવી દિલ્હી : કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર દેશમાં નબળી પડી છે પરંતુ ગઈકાલે જ દેશમાં કેસની કુલ સંખ્યા ત્રણ કરોડને પાર ચાલી ગઇ હતી અને અહેવાલમાં એવું પણ બહાર આવ્યું છે કે એક કરોડ કેસ તો ફક્ત 50 દિવસમાં જ બહાર આવ્યા હતા.

  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,848 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,00,28,709 થઈ ગયો છે. એક દિવસમાં 68,817 દર્દીઓએ કોરોનાને માત આપી. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 2,89,94,855 થઈ છે. હાલ 6,43,194 દર્દીઓ સારવાર હેઠળ છે.

(10:52 am IST)