Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ગલગોટાના ફુલની ચા સ્‍વાસ્‍થ્‍ય માટે ભરપુર ફાયદારૂપ : જાણો બનાવવાની રીત

નવી દિલ્‍હી, તા. ર૩ : હમણાં સુધી આપણે કયારામાં ગલગોટાના ફૂલો જોયા છે, પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે, તેમાંથી ચા પણ બનાવી શકાય છે તેની પાંખડીઓથી હજી પણ ફેસ પેક અને વાળના માસ્‍ક વગેરે માટે વપરાય છે. પરંતુ તમે તેનાથી બનાવેલી ચા ઘણી જ સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓનો ઉપચાર કરી શકો છો. તેના ફૂલોથી તૈયાર થયેલી આ ચાનું સેવન કરવાના ઘણા લાભ છે. તેમાં સ્‍કિન હીલિંગ, એન્‍ટી ઇન્‍ફ્‌લેમેશન, એન્‍ટિ સેપ્‍ટિક અને એન્‍ટી ઓક્‍સિડેન્‍ટ ગુણ છે, જે તેને ફાયદાકારક બનાવે છે. તો ચાલો આપણે જાણીએ કે ગલગોટાના ફૂલોથી બનેલી ચાના ફાયદા શું છે.

૧. ત્‍વચાનો ઝડપથી ઉપચાર કરે છે

ગેલગોટાના ફૂલોથી બનેલી ચા ત્‍વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી ત્‍વચા સંબંધિત ઘણી સમસ્‍યાઓ દૂર થાય છે. તે ત્‍વચાને સ્‍વસ્‍થ કરે છે અને ખીલથી છૂટકારો આપે છે. જો ત્‍વચા બળી ગઈ હોય અથવા કોઈ ઘા પડયા હોય, તો આ ચાના સેવનથી ત્‍વચાના કોષો ઝડપથી સાજા થવા લાગે છે. એસપીએફ દ્વારા થતાં નુકસાન પણ તેના સેવનથી સજા થઇ જાય છે. તે ત્‍વચાને વળદ્ધત્‍વથી બચાવે છે અને ત્‍વચા પર થતી ફોલ્લીઓનો ઉપચાર કરે છે.

૨. એન્‍ટીઓકિસડન્‍ટથી સમળદ્ધ

ગેલગોટાના ફૂલોમાં હાજર એન્‍ટીઓકિસડન્‍ટ ગુણધર્મો તણાવની અસર ઘટાડે છે. તે ટયુમર, બળતરા, જાડાપણું, મેટાબોલિક સિન્‍ડ્રોમ અને ટાઈપ ૨ ડાયાબિટીસ વગેરેને પણ નિયંત્રિત કરે છે. તેમાં હાજર કમ્‍પાઉન્‍ડ તત્‍વો વિટામિન એ એન્‍ટીઓકિસડન્‍ટમાં વધારો કરે છે અને ચાને સ્‍વસ્‍થ બનાવે છે.

૩. દાંતના દુઃખાવાથી આપે છે રાહત

જો દાંતમાં દુઃખાવો થવાની સમસ્‍યા હોય તો ગલગોટાના ફૂલની ચાને થોડીક ઠંડી કરીને તેના કોગળા કરો. ચાને થોડી વાર મોઢામાં રાખો અને થોડી વાર પછી તેને મોંમાંથી બહાર કાઢો. તેનાથી દાંતના દુખાવામાં રાહત મળશે અને દાંતના ઇન્‍ફેક્‍શનથી છૂટકારો મળશે.

૪. માઉથ અલ્‍સર અને ગળાના દુખાવામાં રાહત

એન્‍ટિ-સેપ્‍ટિક ગુણધર્મોને લીધે આ ચાના સેવનથી મોઢાના ચાંદા અને ગળાના દુખાવામાં રાહત મળે છે.

આ રીતે ગલગોટાના ફૂલની ચા બનાવવી

આ માટે ૪થી ૫ ગલગોટાના ફૂલો, બે ગ્‍લાસ પાણી અને મધ લો.

તેને બનાવવા માટે પહેલા એક કઢાઈમાં પાણી નાંખો અને ગેસ પર ઉકળવા માટે રાખો. ગલગોટાના ફૂલોની પાંખડીઓ અલગ કરો અને તેને આ પાણીમાં નાખો.

પાણીને બરાબર ઉકળવા દો અને તેને ઓછામાં ઓછા ૫ મિનિટ માટે ઢાંકીને ધીમા તાપે ઉકળવા દો.

હવે જ્‍યારે પાણી સારી રીતે ઉકળે છે, ત્‍યારે ગલગોટાની પાંદડીઓનો રંગ પાણીમાં દેખાવા લાગશે. અડધા સુધી પાણી ઓછું થાય ત્‍યાં સુધી તેને ઉકાળો. ત્‍યારબાદ ગેસ બંધ કરો અને તેને મધ સાથે સર્વ કરો.

કયારે કરવું તેનું સેવન

દિવસમાં બે વખત આ ચાનું સેવન કરો. તમે તેને સવારે એકવાર અને રાત્રિભોજન પછી ઓછામાં ઓછા ૧ કલાક પછી એકવાર લઈ શકો છો. પરંતુ જો તમને પહેલેથી જ કોઈ સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યા છે, તો ડોક્‍ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.

 

(3:37 pm IST)