Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કોરોનાની વિદાય વેળાએ નવી ઉપાધિ :ઉજ્જૈનમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ થી પ્રથમ મોત : જબરી ચિંતા

ભોપાલમાં 3 અને ઉજ્જૈનમાં 2 કેસ મળીને મધ્ય પ્રદેશમાં ડેલ્ટા પ્લસના 5 કેસ નોંધાયા

ભોપાલ : કોરોનાની બીજી લહેરની વિદાય વેળાએ તેના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનું જોખમ વધી રહ્યું છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ વેરિય્ટથી પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે.

ઉજ્જૈન કલેકટર જણાવ્યું કે, મધ્ય પ્રદેશમાં ડેલ્ટા પ્લસના 5 કેસ નોંધાયા છે. ભોપાલમાં 3 અને ઉજ્જૈનમાં 2 કેસ છે. તેમાંથી ઉજ્જૈનના દર્દીના મોતની પુષ્ટિ મળી છે. મહિલાનો આ વેરિયન્ટથી મોત નિપજ્યું છે.તેણે કોરોના વેક્સિન લીધી ન હતી . મહિલાનો પતિ ઠીક છે, જેને રસી આપવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમપીમાં ડેલ્ટા પ્લસ વેરોન્ટના દર્દીઓ પૈકી 4 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે અને ઘરે છે.

 

તબીબી શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 5 કેસ નોંધાયા છે. રાજ્ય કક્ષાએ તેની સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં ડેલ્ટા પ્લસથી એકનું મોત નીપજ્યું છે. આમાં એ વાત સામે આવી છે કે, જેમણે કોરોના રસી લીધી હતી, તેઓ ડેલ્ટા પ્લસને હરાવવામાં સફળ રહ્યા હતા.

કેન્દ્ર સરકારે ડેલ્ટા પ્લસને ચિંંતાનો વિષય જાહેર કર્યો છે. એટલે કે, તેને ગંભીર કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે મધ્યપ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્રની સરકારોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. ભોપાલ કલેક્ટરે એ જણાવ્યું હતું કે, ભોપાલમાં ત્રણ કેસ નોંધાયા છે. આ ત્રણેય દર્દીઓ સ્વસ્થ છે. જે લોકોએ તેના સંપર્કમાં આવ્યા તેમની સંપર્ક ટ્રેસિંગ પણ કરવામાં આવી હતી, તે પણ બરાબર છે. હજી સુધી કોઈ વધુ કેસ મળ્યા નથી, તેથી અત્યારે કોઈ અલગ સૂચનાઓની વાત કરવામાં આવી નથી. અમે કોરોના પરીક્ષણ તેમજ રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જેથી લોકોને ચેપનું જોખમ ઓછું થાય.

ઉજ્જૈન કલેક્ટર કહ્યું કે મે મહિનામાં, જ્યારે કોરોના ટોચ પર હતી, ત્યારે મે 17 માં ઉજ્જૈનમાં ચેપગ્રસ્ત દંપતીમાં એક નવો પ્રકાર જોવા મળ્યો હતો. 6 દિવસ પછી એટલે કે 23 મેના રોજ, મહિલાનું મોત નીપજ્યું. તે જ સમયે, 18 મી મેના રોજ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ એટલે કે મહિલાના પતિ સાથેનો બીજો દર્દી પણ મળી ગયો, તે સાજો થઈ ગયો. નોડલ અધિકારી ડો.રૌનાકે જણાવ્યું હતું કે, સરકારની સૂચના મુજબ, રોજિંદી નમૂનાઓ ભોપાલમાં પરીક્ષા માટે મોકલવામાં આવતા હતા. તે તપાસ બાદ બહાર આવ્યું છે. બંને દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં આવી હતી, જેમાંથી કોઈને પણ સંક્રમણ લાગ્યો નથી.

(10:09 pm IST)