Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

આસામ-મેઘાલય બોર્ડર પર ફાયરિંગ બાદ હિંસામાં ૬ લોકોના મોત

૪૮ કલાક માટે ૭ જિલ્લામાં મોબાઈલ ઈન્‍ટરનેટ સેવા બંધ કરી

નવી દિલ્‍હી,તા. ૨૩ : ગઇ કાલ મંગળવારે સવારે આસામ-મેઘાલય સરહદ પર ગોળીબારની ઘટના બાદ ફાટી નીકળેલી હિંસામાં છ લોકોના મોત થયા હતા. પોલીસે લાકડાની દાણચોરી કરતી ટ્રકને રોકી હતી જે બાદ અથડામણ થઈ હતી અને વન રક્ષક સહિત છ લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ મેઘાલય સરકારે આગામી ૪૮ કલાક માટે ૭ જિલ્લામાં મોબાઈલ ઈન્‍ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

મેઘાલયની પヘમિ જયંતિયા હિલ્‍સ, પૂર્વ જયંતિયા હિલ્‍સ, પૂર્વ ખાસી હિલ્‍સ, રી-ભોઈ, પૂર્વી પヘમિ ખાસી હિલ્‍સ, પશ્ચિમ ખાસી હિલ્‍સ અને દક્ષિણ પヘમિ ખાસી હિલ્‍સમાં ઇન્‍ટરનેટ સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યું છે. મેઘાલયના મુખ્‍ય પ્રધાન કોનરાડ સંગમાએ જણાવ્‍યું હતું કે આ ઘટનામાં મેઘાલયના પાંચ અને આસામના એક વન રક્ષક સહિત કુલ છ લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા.

કોનરાડ સંગમાએ કહ્યું કે મેઘાલય પોલીસ વતી એફઆઈઆર નોંધીને તપાસ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ ઘટનાની મેજિસ્‍ટ્રેટ તપાસ શરૂ કરવામાં આવશે. મેં આ ઘટના પર આસામના સીએમ સાથે વાત કરી છે અને તેમણે સહયોગની ખાતરી આપી છે. પヘમિ કાર્બી આંગલોંગના પોલીસ અધિક્ષક ઈમદાદ અલીએ પીટીઆઈને જણાવ્‍યું કે આસામ ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટની ટીમે સવારે ૩ વાગ્‍યાની આસપાસ મેઘાલય બોર્ડર પર ટ્રકને અટકાવી હતી.

 

(10:34 am IST)