Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સુરતના મહિધરપુરામાંથી 75 લાખની રોકડ રકમ મળવા મામલે રાજકારણમાં ગરમાવો

 જગદીશ ઠાકોરે ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યાં :કહ્યું કે જે કાર્યવાહી થતી હોય તે કરો. પણ એક બે લોકોને ટાર્ગેટ કરીને નહીં

સુરતના મહિધરપુરામાંથી 75 લાખની રોકડ રકમ મળવા મુદ્દે રાજનીતિ તેજ થઈ છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ભાજપ પર પ્રહાર કર્યા છે. બનાસકાંઠાના કાંકરેજમાં સભાને સંબોધતા જગદીશ ઠાકોરે ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યાં અને કહ્યું કે જે કાર્યવાહી થતી હોય તે કરો. પણ એક બે લોકોને ટાર્ગેટ કરીને નહીં. અમે ઇટનો જવાબ પથ્થરથી આપીશું. સાથે જ ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસને સભામાં અમુક પ્રકારની જ છૂટ અપાય છે. જ્યારે ભાજપ મનફાવે તેમ સભા અને પ્રચાર કરી શકે છે.

(11:36 pm IST)