Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

દેશની રાજધાનીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા જ ટીખળીબાજાનું પરાક્રમ : તંત્ર એલર્ટ મોડમાં

નવી દિલ્હી: જાસત્તાક પર્વ પહેલા દેશની રાજધાની દિલ્હીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. નવી દિલ્હી જિલ્લાના ખાન માર્કેટ મેટ્રો સ્ટેશનની બહાર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. આ સુચના પછી આ વિસ્તારમાં હંગામો મચ્યો છે અને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. માહિતી મળતાં પોલીસના પીસીઆર ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય તપાસ એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નારાઓ શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે લાગ્યા હતા.

નારા લગાવવાના આરોપમાં પોલીસે 3 યુવકો અને 3 યુવતીઓને કસ્ટડીમાં લીધા છે અને આ મામલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ ટૂંક સમયમાં મોટો ખુલાસો કરી શકે છે. પ્રારંભિક માહિતી અનુસાર પી.એસ. તુગલક રોડ ઉપર બપોરે 1 વાગ્યે પીસીઆર કોલ આવ્યો હતો કે ખાન બજાર મેટ્રો સ્ટેશન નજીક કેટલાક લોકો પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા સાંભળવામાં આવ્યા છે. આ પછી, પોલીસ એક્શનમાં આવી હતી.

(12:24 pm IST)