Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

બોમ્બે હાઈકોર્ટે શીના બોરા હત્યા કેસમાં મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીની જામીન અરજી ફગાવી

એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી મહામારીને કારણે કેસમાં વિલંબ થયો છે. આ માટે પ્રોસિક્યુશનને દોષી ઠેરવી શકાય નહીં

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે શીના બોરા હત્યા કેસમાં મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીની જામીન અરજી  ફગાવી દીધી છે. બોમ્બે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે એવું લાગે છે કે ફરિયાદ પક્ષે પૂરતી સાવચેતી રાખી છે અને મુખરજીને ઉત્તમ તબીબી સુવિધાઓ પૂરી પાડી છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, કોઈ મજબૂત કારણ નથી, જેના કારણે તબીબી આધાર પર જામીન આપવામાં આવે.

  ઈન્દ્રાણી મુખર્જીએ ભૂતપૂર્વ ટેલિવિઝન ચીફ પીટર મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. 5 ઓગસ્ટ, 2020 ના રોજ સીબીઆઈ કોર્ટે દ્વારા અરજી ફગાવી દેવામાં આવતા તેમણે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. નવેમ્બર 2021માં તેમની જામીન અરજી પર સુનાવણી થઈ અને જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેએ તેને ફગાવી દીધી. જો કે, આદેશના કારણો હજુ જાહેર કરવામાં આવ્યા નથી.

તબીબી આધારો ઉપરાંત, મુખર્જીના વકીલ સના રઈસ ખાને પણ કેસની સુનાવણીમાં વિલંબ માટે જામીનની માંગ કરી હતી. વર્ષ 2020માં માત્ર 67 સાક્ષીઓને કોર્ટમાં જુબાની આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. ખાને દલીલ કરી હતી કે આ કેસમાં હજુ 195 સાક્ષીઓની તપાસ થવાની બાકી છે.

જસ્ટિસ સાંબ્રેએ કહ્યું કે જો ટ્રાયલ શરૂ થઈ ગઈ હોય તો પણ તેમાં થોડો સમય લાગવાની શક્યતા છે અને તે હાલના કેસમાં મુક્ત થવાનું કારણ બની શકે નહીં. ખાસ કરીને, મુખર્જી દ્વારા કથિત ગુનાની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, આરોપીએ ગુનો સાબિત કરવા માટે મોટી સંખ્યામાં સાક્ષીઓની તપાસ કરવી પડશે. છતાં એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી મહામારીને કારણે કેસમાં વિલંબ થયો છે. આ માટે પ્રોસિક્યુશનને દોષી ઠેરવી શકાય નહીં.

(7:25 pm IST)