Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ખેડૂત નેતા રાકેશ ટિકૈતની મોટી જાહેરાત: કહ્યું -BKU યુપી ચૂંટણીમાં કોઈ પક્ષનો વિરોધ કે સમર્થન નહીં કરે

ટિકૈતે કહ્યું - કોઈનું સમર્થન કે વિરોધ નહિ પણ સરકારની ખામીઓ ચોક્કસ લોકો સમક્ષ લાવવામાં આવશે.

નવી દિલ્હી : ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય કિસાન યુનિયન યુપી વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષનો વિરોધ કે સમર્થન નહીં કરે.  ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રકૈશ ટિકૈતે સ્પષ્ટ કર્યું છે કે BKU 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં કોઈને સમર્થન કે વિરોધ નહીં કરે. રાકેશ ટિકૈતે મીડિયા સાથેની ટૂંકી વાતચીત દરમિયાન આ વાત કહી.

રવિવારે લખીમપુર જિલ્લાના ટિકુનિયાથી પુરનપુર જઈ રહ્યા હતા ત્યારે તેઓ સંઘના જિલ્લા ઉપાધ્યક્ષ ખુતારના નાવદિયા પ્રેમરાજ ગામના રહેવાસી સુરજીત સિંહના ઘરે પહોંચ્યા હતા. અહીં પહોંચીને રાકેશ ટિકૈતે પણ સુરજીત સિંહના પુત્રના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

 સુરજીત સિંહના પુત્ર હરવિંદર સિંહનું બરેલીમાં રોડ અકસ્માત દરમિયાન મોત થયું હતું. જે બાદ રાકેશ ટિકૈત તેમના ઘરે પહોંચી ગયા હતા. રાકેશ ટિકૈત ત્યાં પહોંચ્યા અને સુરજીતના પરિવારને મળ્યા. આ સાથે સુરજીત સિંહના પુત્રના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. મીડિયા સાથેની ટૂંકી વાતચીતમાં રાકેશ ટિકૈતે કહ્યું કે BKU 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં કોઈને સમર્થન કે વિરોધ કરશે નહીં. જો કે સરકારની ખામીઓ ચોક્કસ લોકો સમક્ષ લાવવામાં આવશે.

(12:00 am IST)