Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

તાંડવ વેબ વિવાદઃ લખનૌમાં એમેઝોનના ઇન્ડીયા હેડ અપર્ણાની ૩ કલાક પુછપરછ

લખનૌઃ તાંડવ વેબ સીરીઝને લઇને દાખલ ફરિયાદ મામલામાં એમેઝોન પ્રાઇઝના ઓરજીનલ કન્ટેટ હેડ અપર્ણા પુરોહીત પોતાનું નિવેદન નોંધાવવા હઝરતગંજ પોલીસ સ્ટેશન પહોંચેલ, જયાં પીઆઇ અનિલસિંહે અપર્ણાને ૩ કલામાં ૧૦૦ થી વધુ પ્રશ્નો પૂછેલ. જેમાં વેબ સીરીઝા ડાયલોગ અને સાંપ્રદાયીક ભાવનાઓથી જોડાયેલ અનેક સવાલ કરાયેલ. આ મામલે ૧૮ જાન્યુઆરીએ અમરનાથ યાદવે અપર્ણા ઉપરાંત ડાયરેકટર અલી અબ્બાસ, નિર્દેશક હિમાંશુ કૃષ્ણ અને લેખક ગૌરવ સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાયેલ. કેસના સંદર્ભમાં અનિલસિંહ નેતૃત્વમાં એક ટીમ મુંબઇ તપાસ માટે પણ ગયેલ. હાઇકોર્ટના આદેશ મુજબ નિવેદન નોંધાવામાં આવેલ.

(3:42 pm IST)