Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

અનંતનાગમાં ૪ આતંકીઓ ઠાર : ઇન્ટરનેટ સેવા બંધ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા

જમ્મુ તા. ૨૪ : જમ્મુ-કાશ્મીરના શ્રી ગુફવારા અનંતનાગના શલગુલ વન ક્ષેત્રમાં ચાલી રહેલી અથડામણમાં સુરક્ષાબળોએ ચાર ત્રાસવાદીઓને ઠાર માર્યા છે. ઠાર કરેલા આતંકીઓની સંખ્યા અંગે પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીમાં મૃતદેહોની તપાસ હજુ ચાલુ છે. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

કોઇ પણ અફવા ફેલાઇ નહી તેને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેટ સેવાને અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં ત્રાસવાદીઓના હોવાથી સૂચના પર પોલીસ, સેના અને સીઆરપીએફે સંયુકત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન ત્રાસવાદીઓએ સુરક્ષા કર્મીઓ પર ગોળીઓ વરસાવી અને સુરક્ષા અધિકારીઓએ તેનો જડબાતોડ જવાબ આપ્યો.

(3:47 pm IST)