Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મુસ્‍લિમ હોય એટલે તેને મારી નાખવો યોગ્‍ય છે???

એમપી ગૃહપ્રધાનના નિવેદન પર સ્‍વરા ભાસ્‍કરે રોષ વ્‍યકત કર્યો

નવી દિલ્‍હીઃ મધ્‍યપ્રદેશના નીમચ જીલ્લામાં બીજેપી નેતા દ્વારા વૃધ્‍ધને મારી મારીને હત્‍યા કરવાના કેસમાં ગૃહપ્રધાન નરોતમ મિશ્રાના નિવેદન નિવેદન પર બોલીવુડ એકટ્‍્‌રેસ સ્‍વરા ભાસ્‍કરે નારાજગી વ્‍યકત કરતાં કહ્યું હતું કે તે વૃધ્‍ધ હતો અને ખોવાઈ ગયો હતો, તે પોતાનો પરિચય નહોતો આપી શકયો. તેના પરિવારે અમને જણાવ્‍યું કે તે માનસિક રીતે બિમાર પણ હતો. તેમના આ બયાન પર સ્‍વરા રોષે ભરાઈ હતી.
સ્‍વરાએ ટ્‍વીટર પર લખ્‍યું કે જો તે મુસલમાન હોત તો તેને મારી મારીને હત્‍યા કરવાનું યોગ્‍ય ગણાત? મધ્‍યપ્રદેશના ગૃહપ્રધાન દ્વારા આ કયા પ્રકારનો સંદેશ છે. આ તો કાયદાનું ઘોર ઉલ્લંઘન છે.
સ્‍વરાના ટ્‍વીટ પર લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. ઈબ્રાહીમ સૈયદ નામની વ્‍યકિતએ લખ્‍યું કે તમે બોલીવુડની એકમાત્ર અભિનેત્રી છો, જે અન્‍યાય સામે કાયમ ઉભે છે. કોઈપણ લાભ વગર આ રીતે સાચું બોલવું સહેલું નથી. તમે એક મજબૂત આત્‍મા છો.
 તો રિતેશ જૈન નામના એક યુઝરે લખ્‍યું કે તું તારૂ કામ કરને તારે આમાં શું લેવા દેવા છે? કાયમ આવી જાય છે બોલવા માટે. તો કેટલાક યુઝરોએ સ્‍વરાને એવા વીડીયો મોકલ્‍યા છે જેમાં કથિત રીતે મુસ્‍લીમો હિંદુઓ પર અત્‍ચાર કરી રહ્યા છે.

 

(3:27 pm IST)