Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

કાશ્મીર ઘાટીમાં હજુ પણ 200 જેટલા આતંકવાદીઓ સક્રિય

ચિનાર કોર કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ ડીપી પાંડેએ વર્ષના અંત સુધીમાં આતંકવાદીઓની સંખ્યા ઘટાડશુ

નવી દિલ્હી :ચિનાર કોર કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ ડીપી પાંડેએ ઘાટીમાં હજુ પણ 200 જેટલા આતંકવાદીઓ સક્રિય છે તેવી માહિતી આપી હતી. આ સાથે જ તેમણે વર્ષના અંત સુધીમાં ઘાટીમાં આતંકવાદીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવશે તેવી માહિતી પણ આપી હતી.

 લેફ્ટિનેન્ટ જનરલ ડીપી પાંડેએ સંઘર્ષવિરામ મુદ્દે જણાવ્યું કે, નિયંત્રણ રેખા પર આપણા લોકો શાંતિપૂર્ણ રીતે રહી શકે અને તેમની દેખભાળ રાખી શકાય તે સુનિશ્ચિત કરવા માટે જ સંઘર્ષવિરામ કરવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, દર વખતે સંઘર્ષવિરામના ઉલ્લંઘનમાં આપણા લોકો જ નિશાન પર રહે છે.

(7:44 pm IST)