Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

એકનાથ શિંદેએ પોતાના નિવેદનને ફેરવી તોળ્યું: હવે કહ્યું- કોઈપણ રાષ્ટ્રીય પક્ષ તેમના સંપર્કમાં નથી

મુંબઈ :  શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ કહ્યું છે કે કોઈપણ રાષ્ટ્રીય પક્ષ તેમના સંપર્કમાં નથી. જો કે, એક દિવસ પહેલા, તેમણે કોઈપણ પક્ષનું નામ લીધા વિના કહ્યું હતું તેમની પાછળ  રાષ્ટ્રીય પક્ષ છે.  આ એક મહાસત્તા છે. તેણે મને કહ્યું છે કે મેં જે નિર્ણય લીધો છે તે ઐતિહાસિક છે અને તેની પાછળ આ તમામ શક્તિ છે.શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય નાટકમાં "શક્તિશાળી રાષ્ટ્રીય પાર્ટી" તેમના ધારાસભ્યોના જૂથને સમર્થન આપી રહી હોવાનો દાવો કર્યાના એક દિવસ પછી આ નિવેદન આવ્યું છે.

(9:18 pm IST)