Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પુત્રવધૂ પર દુષ્કર્મ આચરનારા સસરાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી,

રેપ માત્ર એક શારીરિક હુમલો નથીઃ પીડિતાના માનસને ખરાબ કરે છે અને સાથે જ તેના સમગ્ર વ્યકિતત્વને નષ્ટ કરી શકે છેઃ દિલ્હી હાઈકોર્ટે

પુત્રવધૂને અવારનવાર પ્રતાડિત કરતા હતા તેના ૬૫ વર્ષીય સસરા, હાઈકોર્ટે જામીન આપવાની ના પાડી

નવી દિલ્હી,તા. ૨૩: દિલ્હી હાઈકોર્ટે દુષ્કર્મના આરોપી ૬૫ વર્ષીય એક વ્યકિતની જામીન અરજી ફગાવી અને સાથે જ એક અત્યંત માર્મિક ટિપ્પણી પણ કરી હતી. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, રેપ માત્ર એક શારીરિક હુમલો નથી, તે પીડિતાના માનસને ખરાબ કરે છે અને સાથે જ તેના સમગ્ર વ્યકિતત્વને નષ્ટ કરી શકે છે. ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદે પણ કહ્યું કે, બળાત્કાર એક અત્યંત જદ્યન્ય ગુનો છે. આ પ્રકારના આદ્યાતનો સામનો પીડિતાએ વર્ષો સુધી સહન કરવો પડે છે.

અદાલતે ૨૧જ્રાક ઓકટોબરના રોજ જામીન અરજી ફગાવતો આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ અનુસાર જામીન અરજી કરનાર આરોપીએ પોતાની પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યુ હતું. તે સમયે તેણે પીડિતાને ધમકી આપી હશે તે સંભાવનાને નકારી ના શકાય. આ કેસમાં બે મહિના પછી ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ તેનો અર્થ એ નથી કે પુત્રવધૂએ સસરા વિરુદ્ઘ જૂઠો કેસ દાખલ કર્યો છે.

ન્યાયધીશે કહ્યું કે, બળાત્કાર અત્યંત જદ્યન્ય ગુનો છે. તેમાં ઓછામાં ઓછા સાત વર્ષની સજાની જોગવાઈ છે. આ સજા આજીવન કેદ સુધી લંબાઈ શકે છે. આ કેસમાં પીડિતા(પુત્રવધૂ) ડરી ગઈ હતી અને તે પોતાના માતા-પિતાને આ દ્યટના વિષે વાત કરવામાં ખચકાટ અનુભવી રહી હતી. પરંતુ જયારે સસરા તરફથી તેને અવારનવાર પ્રતાડિત કરવામાં આવી અને દુષ્કર્મ આચરવામાં આવ્યું તો તેણે હિંમત ભેગી કરી અને પોતાના માતા-પિતાને આખી દ્યટના વિષે જાણ કરી.

ન્યાયધીશે કહ્યું કે, દુષ્કર્મ માત્ર શારીરિક હુમલો નથી, તે દ્યણીવાર પીડિતાના સંપૂર્ણ વ્યકિતત્વ માટે વિનાશકારી સાબિત થાય છે. આ કૃત્યમાં પીડિતાના માનસને ભયભીત કરવાની ક્ષમતા છે અને આ આદ્યાત વર્ષો સુધી ટકી શકે છે. અદાલતે જોયું કે, જામીનની અરજી કરનાર વ્યકિત પાછલા સાત વર્ષથી જેલમાં છે. નીચલી અદાલતે વહેલી તકે આરોપો બાબતે પુત્રવધૂની દલીલો સાંભળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અરજી કરનાર આરોપીએ જામીન માંગતી વખતે દલીલ કરી હતી કે આ કેસ એક વૈવાહિક વિવાદને કારણે ઉભો કરવામાં આવ્યો છે અને પુત્રવધૂ પરિવારમાં તમામ લોકોને ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે.

કોર્ટે જણાવ્યું કે, અરજી કરનારની ઉંમર ૬૫ વર્ષ છે. તે બીમાર છે. તેની વિરુદ્ઘ નીચલી અદાલત સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 

(10:18 am IST)