Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

યુપીના ખેડૂતો માટે પ્રિયંકા ગાંધીની મોટી જાહેરાત : ખેડૂતોનુ તમામ દેવુ માફ કરાશે : એમએસપી અપાશે:વીજ બિલ 50 ટકા સુધી ઘટાડાશે

કોરોના સમયનુ બાકી વીજ બિલ માફ કરાશે. ગરીબ પરિવારોને 25000 રૂપિયા અપાશે : કોંગ્રેસ 20 લાખ લોકોને સરકારી નોકરીઓ આપશે

નવી દિલ્હી :  કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જનતા અને ખેડૂતોની દિશા-દશા સુધારવા માટે અનેક મોટી જાહેરાતો કરી છે.

 પ્રિયંકા ગાંધીએ યુપીની જનતા માટે અનેક મોટી જાહેરાતો કરી છે. પ્રિયંકા ગાંધીએ સાત પ્રતિજ્ઞા ગણાવતા કહ્યુ હતુ કે, 40 ટકા મહિલાઓને કોંગ્રેસ ટિકિટ આપશે, 12 પાસ વિદ્યાર્થિનીઓને સ્માર્ટ ફોન, સ્નાતક વિદ્યાર્થિનીઓને સ્કૂટી આપશે.

પ્રિયંકા ગાંધી અનુસાર યુપીના તમામ ખેડૂતોનુ તમામ દેવુ માફ કરવામાં આવશે. તે ઉપરાંત ખેડૂતોને એમએસપી અપાશે. તે ઉપરાંત તમામનુ વીજ બિલ 50 ટકા સુધી ઘટાડાશે. કોરોના સમયનુ બાકી વીજ બિલ માફ કરાશે. ગરીબ પરિવારોને 25000 રૂપિયા આપવામાં આવશે અને યુપીમાં કોંગ્રેસ 20 લાખ લોકોને સરકારી નોકરીઓ આપશે.

પ્રિયંકા ગાંધી યુપીમાં પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને ચૂંટણી ઢંઢેરો જાહેર થાય તે પહેલા જ પ્રિયંકાએ યુપીના લોકોને કોંગ્રેસની સરકાર બની તો કયા પ્રકારનો ફાયદો થશે તે કહેવા માંડ્યુ છે.

આ પહેલા પ્રિયંકા ગાંધીએ ખેતરોમાં ગરીબ મહિલાઓ સાથે મુલાકાત પણ કરી હતી અને તેમની સમસ્યાઓને સમજવાની કોશિશ પણ કરી હતી.મહિલાઓને પ્રિયંકા ગાંધીએ પોતાના હાથથી ભોજન પણ કરાવ્યુ હતુ.

(11:48 pm IST)