Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

કાનપુરના કુલી બજારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી: અનેક લોકો દટાયા હોવાની શક્યતા

લોકોમાં ભાગદોડ મચી ગઈ :રાહત અને બચાવ કાર્ય ચાલુ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટી ઈમારત ધરાશાયી થઈ છે. શહેરના કુલી બાજાર વિસ્તારમાં આ ઈમારત ધરાશાયી થતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ જેવી આ ઈમારત પડ્યાની જાણ થઈ કે, ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ હતું. હાલમાં આ દુર્ઘટનામાં કેટલાય લોકો દટાયા હોવાની વિગતો આવી રહી છે.

   અનવરગંજ પોલીસ સ્ટેશનના સર્કલ અધિકારી મોહમ્મક અકમલ ખાને આ ઈમારત ધરાશાયી થતાં કહ્યુ હતું કે, અનવરગંજ પોલીસ સ્ટેશની હદમાં આવતા કુલી બજારમાં ધરાશાયી થયેલી આ ઈમારત જર્જરીત હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે, ધરાશાયી થયેલી આ ઈમારતમાં કેટલાય લોકો દટાયા હોવાનો ડર છે. હાલ ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે, આ લખાઈ રહ્યુ છે, ત્યાં સુધીમાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી. 

(12:00 am IST)