Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સુપ્રીમ કોર્ટમાં હવે ટેક્‍સને લગતા કેસોનો અલગથી નિકાલ

નિકાલ ઝડપી બનશેઃ સ્‍પેશ્‍યલ બેન્‍ચની રચના

નવી દિલ્‍હી, તા.૨૪: મુખ્‍ય ન્‍યાયાધીશ તરીકે ધનંજય વાય ચંદ્રચુડે કાર્યભાર સંભાળવાની સાથે જ વધુ એક સુધારાની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટમાં હવે ટેક્‍સને લગતા કેસોનો અલગથી નિકાલ કરવામાં આવશે. ટેક્‍સના કેસોનો નિકાલ કરવા માટે ખાસ બેન્‍ચ હશે. ચંદ્રચુડે મંગળવારે જણાવ્‍યું હતું કે ટોચની કોર્ટમાં વધુ એક સુધારાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રત્‍યક્ષ અને પરોક્ષ વેચાણવેરાની બાબતોને સંપૂર્ણ રીતે હાથ ધરવા માટે આગામી સપ્તાહથી બુધવાર અને શુક્રવારના દિવસે ખાસ બેન્‍ચ હશે. તેની સાથે તેમણે સુનાવણીની તારીખો મેળવવા માટે તેમના કોર્ટ હોલમાં હાજર રહેલા વકીલોના જૂથને વિનંતી કરી હતી.

CJIનો નિર્ણય, જેમણે ૯ નવેમ્‍બરે સુકાન સંભાળ્‍યું હતું. તે ભૂતપૂર્વ CJI, જસ્‍ટિસ એચએલ દત્તુના પગલાને અનુરૂપ છે, જેમણે ૨૦૧૫ ના શરૂઆતના મહિનામાં એક બેંચની રચના કરી હતી. જે જરૂરિયાતને ઓળખીને માત્ર ટેક્‍સ કેસોની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોના ઢગલા ઘટાડવા.તે સમયે ટેક્‍સ બેંચમાં કાયદાની આ શાખામાં બે અનુભવી જસ્‍ટિસ એકે સિકરી અને રોહિન્‍ટન એફ નરીમન હતા. આ બેંચે એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ટેક્‍સ કાયદામાં લગભગ ૨૦૦ ચુકાદા આપ્‍યા છે.

૨૦૧૫માં વિતરિત કરવેરા ચુકાદાઓની કુલ સંખ્‍યા ૨૦૦૭ પછીના એક વર્ષ માટે સૌથી વધુ હતી અને આનાથી કાયદાના સમાન મુદ્દાઓ સાથે વ્‍યવહાર કરતા ૫૦૦થી વધુ જોડાયેલા કેસોને ઉકેલવામાં પણ સુવિધા મળી. આ એક આવકારદાયક પગલું છે, જેનું માર્ગદર્શન સુપ્રીમ કોર્ટ મહેસૂલ સત્તાવાળાઓ અને અરજદારોને ભવિષ્‍યના વર્ષો અને અન્‍ય પડતર કેસ માટે પ્રદાન કરી શકે છે. તે વિવિધ અદાલતોમાં પ્રેક્‍ટિસ કરતા વકીલોના કેલેન્‍ડર મેનેજમેન્‍ટને મદદ કરવા ઉપરાંત, દેશની સમગ્ર અદાલતોમાં પેન્‍ડન્‍સી ઘટાડવામાં મદદ કરશે, એમ લીગલ ફર્મ રસ્‍તોગી ચેમ્‍બર્સના એડવોકેટ અભિષેક. એ. રસ્‍તોગીએ જણાવ્‍યું હતું.

(4:29 pm IST)