Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ગુજરાતની કોર્ટે ગોધરાકાંડ પછીના રમખાણોના કેસમાં તમામ 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા : બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાનો આરોપ હતો

પંચમહાલ :ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની એક અદાલતે ગઈકાલ મંગળવારે રાજ્યમાં 2002ના ગોધરા પછીના રમખાણોના કેસમાં બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાના આરોપી 22 લોકોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.
બચાવ પક્ષના વકીલ ગોપાલસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે એડિશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાંથી આઠ કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ પામ્યા હતા. સોલંકીએ જણાવ્યું હતું કે, "જિલ્લાના દેલોલ ગામમાં બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 લોકોની રમખાણો અને હત્યામાં પુરાવાના અભાવે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:28 pm IST)