Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

રાહુલ ગાંધીએ ૧૦ વર્ષ પહેલા જે વટહુકમ ફાડીને ફેંકી દેવા કહ્યું હતું તે જ અત્‍યારે ‘સંકટ મોચક' સાબિત થાત

પોતાના પગ પર જ કુહાડી મારી ! ખરડો પાસ થયો હોત તો રાહુલની સદસ્‍યતા આજે સુરક્ષિત હોત : અયોગ્‍યતાના મુદ્દાનો ૨૦૧૩ના વટહૂકમ સાથે શું સંબંધ છે જે ક્‍યારેય લાગૂ નથી થયો અને જેને રાહુલે ફાડવા માટે કહ્યું હતું ?

નવી દિલ્‍હી તા. ૨૫ : ૨૭ સપ્‍ટેમ્‍બર ૨૦૧૩, અજય માકણ દિલ્‍હીમાં પ્રેસ કોન્‍ફેરેન્‍સ કરી રહ્યાં હતાં. તેમાં વચ્‍ચે અચાનક રાહુલ ગાંધી આવી જાય છે. ત્‍યારનાં કોંગ્રેસ ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધી કહે છે કે ‘હું અહીં પોતાનું સૂચન આપવા આવ્‍યો છું. ત્‍યારબાદ ફરી હું મારા કામ પર જતો રહીશ.'

રાહુલ ગાંધીએ એ પછી કહ્યું કે મેં માકણજીને ફોન કર્યો. તેમને પૂછ્‍યું કે શું ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રેસ સાથે વાતચીત કરવા જઈ રહ્યો છું.મેં પૂછ્‍યું કે શું વાતચીત ચાલી રહી છે ત્‍યારે તેમણે કહ્યું કે ઓર્ડિનેંસ વિશે વાત ચાલી રહી છે. મેં પૂછ્‍યું કે ‘શું ત્‍યારબાદ  તે સ્‍પષ્ટતા કરવા લાગ્‍યાં. હું તમને આ વટહૂકમનાં વિષે પોતાનું સૂચન આપવા ઈચ્‍છું છું. મારા સૂચનમાં તેને ફાડીને ફેંકી દેવું જોઈએ.'

૧૦ વર્ષ જૂનું આ નિવેદન આજની ઘટના સાથે શું સંબંધ ધરાવે છે તે જાણો. રાહુલ ગાંધીને માનહાનિનાં કેસમાં સૂરતની કોર્ટે ૨ વર્ષની સજા સંભળાવી છે. જો કે કોર્ટથી તેમને તરત જ જામીન મળી ગઈ અને સજાને ૩૦ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરી છે. આ બધું ૨૦૧૩નું સુપ્રીમ કોર્ટનાં એક નિર્ણયને લીધે થયું છે જેનાથી બચવા માટે UPA સરકારનાં સમયમાં એક ખરડો પસાર થયો હતો જે અમલમાં આવતાં આવતાં રહી ગયો. આ જ વટહૂકમની કોપીને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્‍ફેરેન્‍સમાં ફાડવા માટે કહ્યું હતું.

૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે લોક-પ્રતિનિધિ અધિનિયમ ૧૯૫૧ને લઈને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્‍યો હતો. કોર્ટે આ અધિનિયમની કલમ ૮(૪)ને ગેરબંધારણિય ઠેરવી હતી. આ કલમ અનુસાર ગુનાહિત મામલામાં ૨ વર્ષ કે તેથી વધારે સજાનાં પ્રાવધાનવાળી ધારાઓ અંતર્ગત કોઈ પ્રખ્‍યાત પ્રતિનિધિને તે  દોષીત કરાર રૂપે અયોગ્‍ય ન ઠેરવી શકાય જો તેના તરફથી ઉપરી કોર્ટમાં અપીલ કરવામાં આવી હોય. એટલે કે કલમ ૮(૪) દોષીત સાંસદ, વિધાયકને કોર્ટનાં નિર્ણયનાં વિરોધમાં અપીલ લંબિત થઈ હોય તો પણ પદ સંભાળવાની છૂટ આપે છે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય બાદ કોઈપણ કોર્ટમાં દોષીત જાહેર થયેલા નેતાની વિધાયકી અને સાંસદી જતી રહે છે. તેની સાથે જ આવનારાં ૬ વર્ષ સુધી તે વ્‍યક્‍તિ ચૂંટણી લડવા માટે પણ અયોગ્‍ય થઈ જાય છે. સદસ્‍યતા તરત જ રદ કરવાનાં નિર્ણયને પલટાવવા મનમોહન સિંહ સરકાર એક વટહૂકમ લઈ આવી હતી અને આ જ વટહૂકમને રાહુલે ફાડવાની વાત કરી હતી.

સુપ્રીમ કોર્ટે જૂલાઈ ૨૦૧૩માં દોષીત કરાર કરેલા વિધાયકો-સાંસદોની અયોગ્‍યતાને લઈને પોતાનો આદેશ આપ્‍યો હતો. એ જ સમય હતો જયારે ય્‍થ્‍ઝ સુપ્રીમો લાલૂ યાદવ ચારેય બાજુથી કૌભાંડનાં મામલામાં અટવાયેલા હતાં. દોષીત જાહેર થયાં બાદ તેમની સદસ્‍યતા પર પણ સંકટ આવી શકે તેવું હતું. ૨૦૧૩માં મનમોહન સરકાર એક ખરડો લઈને આવી. તેમાં કહેવામાં આવ્‍યું હતું કે વર્તમાન સાંસદ કે વિધાયક જો કોઈ કોર્ટ દ્વારા દોષીત જાહેર કરવામાં આવે છે અને જો ઉચ્‍ચ અદાલતમાં તેમણે અરજી કરેલ છે તો તેમની સદસ્‍યતા નહીં જાયે. જો કે એ સમયે તેઓ સદનમાં વોટ નહીં આપી શકે અને વેતન પણ નહીં મળે. રાહુલે આ ખરડાને ‘સંપૂર્ણ બકવાસ' કરાર કર્યું હતું અને કહ્યું હતું કે તેને ફાડીને ફેંકી દેવું જોઈએ. જો આ ખરડો તે સમયે પાસ થયો હોત તો વિધાયક આઝમ ખાન, અબ્‍દુલા આઝમથી લઈને ભાજપ વિધાયક વિક્રમ સેની સુધીની સદસ્‍યતા ચાલુ હોત. એટલું જ નહીં આજે રાહુલ ગાંધીની સાંસદની સદસ્‍યતા પણ કદાચ બચી ગઈ હોત.

(10:59 am IST)