Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

પતિની ઐયાશીથી કંટાળીને પત્નીએ કાપી નાંખ્યુ પતિનું ગુપ્તાંગ:કાપ્યા બાદ મારી મારીને કરી હત્યા

યુપીના મુઝફ્ફરનગરના શિકારપુરમાં ઘટના : પોલીસે આરોપી પત્નીને કસ્ટડીમાં લઇને પૂછપરછ શરૂ કરી

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. શિકારપુરમાં રહેતા એક દંપતિ વચ્ચે અરેરાટી ફેલાઈ તેવી ઘટના બની છે પત્નીએ સૂતેલા પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યુ હતુ અને બાદમાં તેને ઢોર માર મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે આરોપી પત્નીને કસ્ટડીમાં લઇને પૂછપરછ શરૂ કરી દીધી હતી

શિકારપુર ગામમાં રહેતા વકીલ રફીક અહમદ પોતાના ઘરમાં મૃત મળી આવ્યો હતો. પરિવારના લોકોએ પોલીસને સૂચના આપી હતી જે બાદ પોલીસે લાશને કબ્જામાં લીધી હતી. પોસ્ટમોર્ટમ માટે લાશ ગઇ ત્યારે જોયુ કે પતિનું ગુપ્તાંગ કપાયેલુ હતુ. ત્યારે પત્ની પર શંકા ગઇ હતી અને તેને કસ્ટડીમાં લઇને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી.
પોલીસે કરેલી પૂછપરછમાં સામે આવ્યુ હતુ કે વકીલે એક બિહારી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. રંગીન મિજાજી પતિથી કંટાળીને પત્નીએ આ પગલુ ઉઠાવ્યુ હતુ. જ્યારે પતિ સૂતો હતો ત્યારે તેનું ગુપ્તાંગ કાપી નાંખ્યુ હતુ. બાદમાં મારી મારીને તેનો જીવ લઇ લીધો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પતિની ઐયાશીથી કંટાળીને પહેલી પત્ની હાજરાએ પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યુ હતુ. હાલ હાજરા પર કેસ ચાલી રહ્યો છે અને આગળ તેને શું સજા થશે તે તો સમય જ બતાવશે.

(7:19 pm IST)