Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કોરોનાની સારવાર માટે ખર્ચ કરનારને ટેક્સમાંથી મળશે મુક્તિ

એક્સ ગ્રેશિયા પેમેન્ટની લિમિટ મર્યાદા 10 લાખ હોવી જોઈએ. જો કે, એમ્પ્લોયર પાસેથી મળેલી એક્સ ગ્રેશિયા પેમેન્ટ અંગે કોઈ લિમિટ નથી

નવી દિલ્હી : નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2019-20 અને ત્યારબાદના નાણાકીય વર્ષોના કેસમાં જો કોઈ એમ્પ્લોયર દ્વારા કર્મચારીને અથવા કોઈ વ્યક્તિ દ્વારા કોઈ અન્ય વ્યક્તિને કોવિડ 19 ની સારવાર માટે નાણાની ચુકવણી કરવામાં આવી હોય, તો તે પ્રાપ્તકર્તા તે જ વ્યક્તિને આ રકમ પરના કરમાંથી મુક્તિ આપવામાં આવશે.

આ જ રીતે, નાણાકીય વર્ષ 2019-20 માં કોવિડ -19 ને કારણે મૃત્યુ થયાની ઘટનામાં કર્મચારીના પરિવારને એમ્પ્લોયર દ્વારા અથવા કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઇ અન્યનાં પરિવારને માટે કરાયેલા એક્સ ગ્રેશિયા પેમેન્ટનાં કિસ્સામાં, તેને પ્રાપ્ત કરનારા પરિવારને આના પર ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. પરંતુ શરત એ છે કે કોઇ વ્યક્તિ દ્વારા કોઇ બીજા વ્યક્તિના પરિવારને આપવામાં આવતી એક્સ ગ્રેશિયા પેમેન્ટની લિમિટ મર્યાદા 10 લાખ રૂપિયા હોવી જોઈએ. જો કે, એમ્પ્લોયર પાસેથી મળેલી એક્સ ગ્રેશિયા પેમેન્ટ અંગે કોઈ લિમિટ નથી.

આ સિવાય સરકારે પાન સાથે આધારને જોડવાની છેલ્લી તારીખ ત્રણ મહિના વધારીને 30 સપ્ટેમ્બર કરી છે. સરકારે કરમાં કપાત માટે કર સંબંધિત અનેક મુદતો લંબાવી, જેમાં રહેણાંક મકાનમાં રોકાણ, વિવાદ નિવારણ યોજના હેઠળ ચુકવણી સહિત.

તેમણે કહ્યું કે પાલન માટેની સમયમર્યાદા 15 દિવસ-2 મહિના અથવા વધુ સુધી લંબાવી દેવામાં આવી છે. ટીડીએસ વિગતો ફાઇલ કરવા માટેનો સમય 15 જુલાઇથી વધારવામાં આવ્યો છે. 1 જુલાઇ સુધીમાં કર કપાતનું પ્રમાણપત્ર આપવા માટે, સંસ્થાઓની નોંધણી 31 ઓગસ્ટ સુધી અને સમાધાન પંચમાંથી કેસ પાછા ખેંચવાનો વિકલ્પ 31 જુલાઇ સુધી વધારવામાં આવ્યો છે.

(9:39 pm IST)