Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

કેરળમાં કોરોનાનો કહેર વધતા ત્રીજી લહેરની ભીતિ : દેશમાં નવા 40.279 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 40.032 દર્દીઓ રિકવર થયા : વધુ 541 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.20.585 થયો :એક્ટીવ કેસ 4.02.996 થયા : કુલ કેસની સંખ્યા 3.13.71.486 થઇ

સૌથી વધુ કેરળમાં 18.531 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6269 કેસ,આંધ્રપ્રદેશમાં 2174 કેસ, ઓરિસ્સામાં 1864 કેસ,કર્ણાટકમાં 1857 કેસ, તામિલનાડુમાં 1819 કેસ, આસામમાં 1595 કેસ, મણિપુરમાં 1198 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  આજે દેશમાં કોરોનાનાં નવા 40.279 કેસ નોંધાયા છે. જ્યારે 40.032 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 40.279 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 541 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.20.585 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 40.032 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.13.71.486 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.02.996 થઇ છે છેલ્લા 24 કલાકમાં 40.032 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.05.35.490 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 18.531 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6269 કેસ,આંધ્રપ્રદેશમાં 2174 કેસ,  ઓરિસ્સામાં 1864 કેસ,કર્ણાટકમાં 1857 કેસ, તામિલનાડુમાં 1819 કેસ, આસામમાં 1595 કેસ, મણિપુરમાં 1198 કેસ નોંધાયા છે

 
(1:09 am IST)