Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની વિશ્વસનીયતા ઘણા સમયથી સમાપ્ત થઈ ગઈ છે : કોંગ્રેસ પાર્ટીએ ઉપયોગ કર્યા બાદ હવે ભાજપ તેનો ઉપયોગ કરી રહ્યું છે : કેન્દ્ર સરકાર પાસે ઓછામાં ઓછી 10 તપાસ એજન્સીઓ છે કે જે બંધારણના ઘડવૈયાઓની કલ્પનાથી બિલકુલ વિપરીત છે : સર્વોચ્ચ અદાલતમાં પ્રેક્ટિસ કરતા પ્રખ્યાત ફોજદારી વકીલ સિદ્ધાર્થ દવેનો બિન્દાસ અભિપ્રાય

ન્યુદિલ્હી : સર્વોચ્ચ અદાલતમાં પ્રેક્ટિસ કરતા પ્રખ્યાત ફોજદારી વકીલ સિદ્ધાર્થ દવેએ બિન્દાસ અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું છે કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની વિશ્વસનીયતા ઘણા સમયથી સમાપ્ત થઈ ગઈ છે . કોંગ્રેસ પાર્ટીએ  લાંબા સમય સુધી ઉપયોગ કર્યા બાદ હવે ભાજપ તેનો ઉપયોગ કરી રહ્યું છે .કેન્દ્ર સરકાર પાસે ઓછામાં ઓછી 10 તપાસ એજન્સીઓ છે કે જે બંધારણના ઘડવૈયાઓની કલ્પનાથી બિલકુલ વિપરીત છે .તેવું બાર એન્ડ બેન્ચ સાથેની બે ભાગની મુલાકાતના બીજા ભાગમાં, દવે કહે છે. તેઓ પૂછે છે કે  સીબીઆઈ પાસે તેના અધિકારીઓ તરીકે કોણ છે? તે તમામ અધિકારીઓ છે જે સ્થાનિક પોલીસમાંથી ડેપ્યુટેશન પર છે. તેમને કોઈ ખાસ રીતે તાલીમ આપવામાં આવતી નથી.

ઘણી વખત, ન્યાયાધીશો કે જેમની પાસે ફોજદારી કાયદાની પ્રેક્ટિસ નથી, તેઓ હાઇકોર્ટના ન્યાયાધીશ બને ત્યારે ક્રિમિનલ રોસ્ટર પર બેસવા માટે કહેવામાં આવે છે. તે એક ફોજદારી વકીલ જેવું છે જેને  આવકવેરા પર ન્યાય કરવા માટે કહેવામાં આવે છે.

શું તમને લાગે છે કે રાજદ્રોહ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ જેવા કાયદાઓને રદ કરવાનો સમય આવી ગયો છે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હા. તે થવું જોઈતું હતું, પરંતુ કોઈ સરકાર તેને રદ્દ કરવા જઈ રહી નથી .

ઉપરાંત દવેએ અનલોફુલ એક્ટિવિટિસ પ્રિવેંશન એક્ટ ( UAPA ) ,પ્રિવેંશન ઓફ ટેરિઝ્મ એક્ટ (POTA) ,ટેરિસ્ટ એક્ટિવિટિસ પ્રિવેંશન એક્ટ(TADA) ,નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો  (NCB) ,સહીત જુદા જુદા કાયદાઓ અને તેની મર્યાદા તથા ઉપયોગ વિષે સ્પષ્ટ મંતવ્યો આપ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(1:58 pm IST)