Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

ભારતે પૂર્વી લદ્દાખમાં પોતાની જમીનનો કોઇ પણ ભાગ ગુમાવ્યો નથીઃ સંરક્ષણ મંત્રાલય

ભારતે પૂર્વી લદ્દાખમાં 65માંથી 26 પેટ્રોલિંગ બિંદુ સુધી પોતાની પહોચ ગુમાવી દીધી છે તેવા સમાચાર ચર્ચામાં આવ્‍યા હતા

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રાલયે આ વાતનું ખંડન કર્યુ છે કે ભારતે પૂર્વી લદ્દાખમાં પોતાની જમીનનો કોઇ પણ ભાગ ગુમાવ્યો નથી. સેના તરફથી કહેવામાં આવ્યુ કે વિવાદિત વિસ્તારમાં ભારતે કોઇ જમીન ગુમાવી નથી. કેટલાક વિસ્તાર પર જરૂર બન્ને પક્ષનું પેટ્રોલિંગ રોકવામાં આવ્યુ છે પરંતુ આવા વિસ્તારમાં આપણી ટેકનિક હાજરી એટલી જ છે જેટલી ચીની સેનાની છે. સેના તરફથી નિવેદન તે સમાચાર પછી સામે આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતે પૂર્વી લદ્દાખમાં 65માંથી 26 પેટ્રોલિંગ બિંદુ સુધી પોતાની પહોચ ગુમાવી દીધી છે.

મહત્વપૂર્ણ છે કે લદ્દાખના એક સીનિયર પોલીસ અધઇકારી પીડી નિત્યાએ એક રિપોર્ટમાં કહ્યુ હતુ કે “વર્તમાનમાં કારાકોરમ દર્રાથી ચુમુર સુધી 65 પીપી (પેટ્રોલિંગ બિંદુ) છે, જેમણે આઇએસએફ (ભારતીય સુરક્ષા દળ) દ્વારા નિયમિત રીતે પેટ્રોલિંગ કરવામાં આવે છે. 65 પીપીમાંથી 26 પીપીમાં અમારી હાજરી સમાપ્ત થઇ ગઇ છે. 5-17,24-32,37 પર ભારતીય સુરક્ષા દળો દ્વારા કોઇ પેટ્રોલિંગ ના કરવાને કારણે હાજરી સમાપ્ત થઇ છે.”

રિપોર્ટ ગત અઠવાડિયે દિલ્હીમાં દેશના ટોચના પોલીસ અધિકારીઓના વાર્ષિક સમ્મેલનમાં દાખલ કરવામાં આવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ભાગ લીધો હતો. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે બાદમાં ચીન અમને આ તથ્યને સ્વીકાર કરવા માટે મજબૂર કરશે કે આ વિસ્તારમાં લાંબા સમયથી આઇએસએફ અથવા ભારતીય નાગરિકોની હાજરી જોવા નથી મળી. ચીની આ વિસ્તારમાં હાજર હતા. જેણે આઇએસએફના નિયંત્રણ ધરાવતી સીમામાં બદલાવ થઇ જશે. ભારતીય પક્ષ તરફથી આવા તમામ પૉકેટ્સ પાસે બફર ઝોન બનાવવામાં આવે છે. ભારતનો આ વિસ્તાર પર નિયંત્રણ સમાપ્ત થઇ જશે.

અધિકારીએ લખ્યુ હતુ, “પીએલએએ ડી-એસ્કેલેશન વાર્તામાં પોતાના સર્વશ્રેષ્ઠ રૂમને યોગ્ય ઉંચાઇ પર રાખી અને આપણા સુરક્ષા દળની મૂવમેન્ટની નજર કરી બફર વિસ્તારનો લાભ ઉઠાવ્યો છે. તે બફર ઝોનમાં પણ અમારી મૂવમેન્ટ પર આપત્તિ વ્યક્ત કરે છે. ચીની દાવો કરે છે કે આ વિસ્તાર તેમનો વિસ્તાર છે અને પછી અમને વધુ બફર વિસ્તાર બનાવવા માટે પરત જવા માટે કહે છે. પીડી નિત્યાએ પોતાના રિપોર્ટમાં કહ્યુ હતુ કે ચીનની આ રણનીતિ ગલવાન ઘાટીમાં જોવા મળી હતી. જ્યા 2020માં હિંસક અથડામણ થઇ હતી. આમને-સામનેની લડાઇમાં 20 ભારતીય સૈનિક અને ઓછામાં ઓછા ચાર ચીની સૈનિક માર્યા ગયા હતા.

(2:45 pm IST)