Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અખંડ ભારત બળથી નહીં હિન્દુ ધર્મના માધ્યમથી સંભવ : ભાગવત

અલગ પડીને પાકિસ્તાને મુશ્કેલીઓ વહોરી : દેશભકિત જગાવવાનો વિકલ્પ શ્રેષ્ઠ રહેશે

હૈદરાબાદ તા. ૨૬ : રાષ્ટ્રીય સ્વયંસેવક  સંઘ પ્રમુખ મોહન ભાગવતે ગુરૂવારે 'અખંડ ભારત' મુદ્દે બોલતા જણાવ્યુ હતુ કે ભારતથી અલગ થયેલ પાકિસ્તાન જેવો દેશ સંકટમાં છે. હૈદરાબાદ ખાતે એક પુસ્તક વિમોચન પ્રસંગે શ્રી ભાગવતજીએ જણાવેલ કે 'અખંડ ભારત' બળથી નહીં પણ હિન્દુ ધર્મના માધ્યમથી સંભવ થશે. વિશ્વ કલ્યાણ માટે અખંડ ભારતની ખુબ જરૂર છે અને આ માટે દેશભકિત જગાવવી જરૂરી છે.  શ્રી ભાગવતજીએ જણાવેલ કે ઘણા લોકો અખંડ ભારતની સંભાવના પર શંકા વ્યકત કરે છે. પણ એવુ તો દેશના ભાગલા પહેલા પણ બનતુ રહ્યુ છે.

(11:36 am IST)