Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો હાહાકાર યથાવત: આજે 62 મોત

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે 49 પૈકી 14 કોવીડ ડેથ

રાજકોટ: શહેર - જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગઇકાલે 49 મોત નોંધાયા બાદ આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ 62નો ભોગ લીધો છે . 

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .25નાં સવારના ૮ વાગ્યા થી આજે તા.26સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના 62 દર્દીઓના મોત નિપજ્યા હતા .

ગઇકાલે 49 પૈકી 14 મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.

 નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો  650ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે . કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે . જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય . 

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિલ હોસ્પિટલમાં 62 દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે .

(11:31 am IST)