Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

દક્ષિણ ભારતમાં કમળ ખિલે તે માટે મેં સાઇકલ ઉપર પ્રચાર કર્યો ત્યારે કોઈ નહોતું : અટલજી મને કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવા માંગતા હતા તેમ છતાં મેં કર્ણાટકમાં રહેવાનું પસંદ કર્યું : રાજીનામુ આપતી વખતે કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાએ ભાવુક થઇ જુના દિવસો યાદ કર્યા

કર્ણાટક : છેલ્લા એક માસથી જેની ચર્ચા ચાલતી હતી તે કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાએ આખરે રાજીનામુ આપી દીધું છે. તેમની વયને કારણે હાઇકમાન્ડે તેમનું રાજીનામુ માંગી લીધું હોવાનું કારણ આપ્યું હતું.

તેથી આજરોજ મુખ્યમંત્રીના પદેથી રાજીનામુ આપતી વખતે યેદુરપ્પા ભાવુક થઇ ગયા હતા.તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં કમળ ખિલે તે માટે સાઇકલ ઉપર પ્રચાર કર્યો હતો ત્યારે કોઈ નહોતું .

તેમણે ઉમેર્યું હતું કે અટલજી મને કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવા માંગતા હતા તેમ છતાં મેં કર્ણાટકમાં રહેવાનું પસંદ કર્યું . અને કર્ણાટકમાં ભાજપને સત્તા અપાવવાનું મારુ સ્વપ્ન પૂર્ણ થયું. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે

(1:38 pm IST)