Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

જોગાનુજોગ કે પ્રયોગ ? : એક બ્રાહ્મણ અને 6 ઓબીસી તથા દલિત : ધારાસભાની ચૂંટણીના 6 મહિના પહેલા યોગી મંત્રી મંડળનું વિસ્તરણ : મોદી સરકારે પણ ગયા મહિને યુ.પી.માંથી એક બ્રાહ્મણ અને 6 ઓબીસી તથા દલિત સાંસદોને મિનિસ્ટ્રીમાં લીધા હતા

લખનૌ : આખરે  જેની પ્રતીક્ષા હતી તે યોગી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરી દેવાયું છે. જોગાનુજોગ કહો કે પ્રયોગપરંતુ યોગી સરકારે પણ મોદી સરકારની નીતિનું પુનરાવર્તન કર્યું જણાય છે. જે મુજબ ધારાસભાની ચૂંટણીના 6 મહિના પહેલા મંત્રી મંડળમાં એક બ્રાહ્મણ અને 6 ઓબીસી તથા દલિત ધારાસભ્યોને સ્થાન અપાયું છે.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે પણ ગયા મહિને યુ.પી.માંથી એક બ્રાહ્મણ અને 6 ઓબીસી તથા દલિત સાંસદોને મિનિસ્ટ્રીમાં લીધા હતા .તેવું એચ.ટી.એચ. દ્વારા જાણવા મળે છે.

(7:13 pm IST)