Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

દગાબાજને મુખ્યમંત્રીપદનો શિરપાવ આપવામાં આવે તે રાજસ્થાનના કોંગી ધારાસભ્યો સાંખી નહીં લ્યે: ૨૦૨૦ માં કોંગ્રેસ સાથે રહેનારા ૧૦૨ ધારાસભ્યોમાંથી જ કોઈને મુખ્યમંત્રી બનાવો: શાંતિ ધારીવાલની ગર્જના

દગાખોરોને શિરપાવ આપવામાં આવે તે રાજસ્થાનના ધારાસભ્યો હાથ જોડી, બેસી રહીને સહન નહીં કરે તેમ રાજસ્થાનના સિનિયર કેબિનેટ પ્રધાન શાંતિ ધારીવાલે જણાવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના આવા દગાબાજોને મુખ્યમંત્રી બનાવવા માટે કોંગ્રેસના મહામંત્રી ખુદ કેનવાસિંગ કરી રહ્યા હતા, જેનાથી ધારાસભ્યો હતાશ અને ગુસ્સે ભરાયા છે. ધારાસભ્યોએ તેમનો અવાજ સાંભળવા મને કહ્યું હતું તેવો ઈચ્છે છે કે ૧૦૨ ધારાસભ્યોમાંથી જ કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવે, જે ધારાસભ્યો ૨૦૨૦ માં ૩૪ દિવસ સુધી એકજુટ બનીને કોંગ્રેસ સાથે રહ્યા હતા તેમ શાંતિ ધારીવાલે કહ્યું છે.

 

(10:23 pm IST)