Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ : ત્રણ આતંકવાદીઓ ઠાર

સેના અને સીઆરપીએફના જવાનો સાથે વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન : સુરક્ષા દળોનું ઓપરેશન હજુ પણ ચાલુ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના રામબાગ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. જો કે એન્કાઉન્ટર ખતમ થઈ ગયું છે, પરંતુ સુરક્ષા દળોનું ઓપરેશન હજુ પણ ચાલુ છે.

સુરક્ષાદળોનો ઘેરો વધુ મજબૂત થતો જોઈને આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ટૂંક સમયમાં એન્કાઉન્ટર વધુ તીવ્ર બન્યું. એન્કાઉન્ટર સ્થળ તરફ સામાન્ય લોકોની અવરજવર અટકાવીને આતંકવાદીઓ સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી દેવામાં આવી. જ્યારે આતંકવાદીઓ તરફથી લાંબા સમય સુધી ગોળીબાર થયો ન હતો, ત્યારે સુરક્ષા દળોએ સ્થળની શોધખોળ કરી હતી. આ દરમિયાન ત્યાંથી ત્રણ આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા. બે આતંકીઓની ઓળખ મેહરાન અને બાસિત તરીકે થઈ છે. તે બંને ટીઆરએફ માટે કામ કરતા હતા. ત્રીજા વિશે હજુ કંઈ જાણી શકાયું નથી.

(9:02 pm IST)