Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ભયંકર બેઈજ્જતીઃ BJP-JJP-RSSના લોકોને લગ્નોમાં પણ નો એન્ટ્રીઃ લોકો છપાવી રહ્યા છે કંકોત્રી પર રીતસરની જાહેરાત

હિસાર, તા.૨૫: ખેડૂત આંદોલનની અસર હવે લગ્નોમાં પણ જોવા મળી રહી છે. હરિયાણાના ઝઝઝરમાં રાજેશ ધનખડે એક ડિસેમ્બર પોતાના ઘરે યોજાઈ રહેલા લગ્નની કંકોત્રીમાં રિતસરની સૂચના લખી છે. જે સોશિયલ મીડિયા પર નિમંત્રણ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. તેમણે કાર્ડમાં લખાવ્યુ છે કે, મહેરબાની કરીને BJP, JJP અને RSSના લોકો આ લગ્નથી દૂર રહે. બુધવારે આ કાર્ડ ત્યારે ચર્ચામાં આવ્યું જયારે સર છોટૂ રામ જયંતિ પર રેવાડી આવેલા ખેડૂત નેતા યુદ્ઘવીર સિંહે મંચ પર સાર્વજનિક રીતે બતાવ્યું અને લોકોને ભાજપ, જેજેપી તથા આરએસએસના વિરોધમાં લોકોને એકજૂટ રહેવાનું આહ્વાન કર્યું.

હકીકતમાં જોઈએ તો, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજયોના ખેડૂતો ત્રણેય કૃષિ કાયદા બાદ ભાજપ નેતાઓનો વિરોધ કરતા આવ્યા છે. હરિયાણામાં તો ભાજપ અને જજેપી નેતાઓનો ખુલ્લીને વિરોધ થઈ રહ્યો છે. જેને લઈને કેટલીય વાર હોબાળો પણ થઈ ચુકયો છે. હાલમાં લગ્નનું આ કાર્ડ જયારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું હતું ત્યારે કેટલાય લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા હતા.

(3:52 pm IST)