Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા

કોરોના વચ્ચે પણ પરેડ પૂરી થયા બાદ રાજપથ પર પગપાળા ચાલીને લોકોને મળ્યા પીએમ મોદી

નવી દિલ્હી તા. ૨૭ : ગણતંત્ર દિવસ નિમિત્તે રાજપથ પર યોજાયેલી પરેડ બાદ પીએમ મોદી રાજપથ પર પગપાળા ચાલીને લોકોને મળ્યા હતા. આ દરમિયાન લોકોએ મોદી... મોદીના નારા લગાવ્યા હતા.

પીએમ મોદીએ પરેડ પૂરી થયા બાદ સુરક્ષા કર્મીઓના ઘેરા વચ્ચે મંચ પરથી ઉતરીને પગપાળા ચાલીને લોકો વચ્ચે જવાનુ પસંદ કર્યુ હતુ.સાથે સાથે કોવિડ પ્રોટોકોલનુ પાલન થાય તેનુ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ.

૨૦૧૫થી પીએમ મોદીએ નવી પરંપરા શરૂ કરી છે.તેઓ પરેડ પૂરી થયા બાદ લોકોને મળતા હોય છે. આજે પણ આ પરંપરા તેમણે યથાવત રાખી હતી.

કોરોનાના કારણે પીએમ મોદી લોકોને નહીં મળે તેવી અટકળો થઈ રહી હતી પણ આ અટકળો તેમણે ખોટી પાડી હતી.લોકોને તેમણે નિરાશ કર્યા નહોતા.

(10:41 am IST)