Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

એકટ્રેસ શ્વેતા તિવારીએ ‘અંડરગાર્મેન્‍ટ'ને ભગવાન સાથે જોડયા : નિવેદન બાદ હોબાળો : થશે કાર્યવાહી

ફેશન દર્શાવતી વેબસીરીઝની તૈયારીઓના પ્રમોશન માટે શ્વેતાએ ભોપાલમાં આપ્‍યું વિવાદાસ્‍પદ નિવેદન : મારી બ્રાની સાઇઝ ભગવાન લઇ રહયા છે : શ્વેતા તિવારી

મુંબઇ તા. ૨૭ : પ્રમોશન દરમિયાન શ્વેતાᅠતિવારીએ સ્‍ટેજ પર એકᅠડિસ્‍કશનમાં મજાક ઉડાવતા વિવાદાસ્‍પદ નિવેદન આપ્‍યું છે. વિવાદાસ્‍પદ નિવેદનમાં શ્વેતા તિવારીએ કહ્યું- ‘ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે.' શ્વેતાની આ વાત પછી હંગામો શરૂ થઈ ગયો છે. શ્વેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ટીવી એક્‍ટ્રેસ શ્વેતા તિવારીએ ભગવાન વિશે વિવાદિત નિવેદન આપ્‍યું છે. આ દિવસોમાં શ્વેતા તિવારી ભોપાલમાં છે. ફેશન સાથે સંબંધિત વેબ સિરીઝની જાહેરાત માટે તે સ્‍ટારકાસ્‍ટ અને પ્રોડક્‍શન ટીમ સાથે ભોપાલ પહોંચી હતી, શ્વેતા તિવારીએ મંચ પર ચર્ચા કાર્યક્રમમાં પ્રમોશન દરમિયાન મજાકમાં વિવાદાસ્‍પદ નિવેદન આપ્‍યું હતું. વિવાદાસ્‍પદ નિવેદનમાં શ્વેતા તિવારીએ કહ્યું- ‘ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે.'
મનીષ હરિશંકર દ્વારા નિર્દેશિત આ શ્રેણીના તમામ સ્‍ટાર્સ ભોપાલમાં પ્રમોશન માટે સાથે ગયા હતા, જયાં શ્વેતા તિવારીએ મજાકમાં વિવાદાસ્‍પદ નિવેદન આપ્‍યું હતું. વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકોનું કહેવું છે કે શ્વેતાએ આવું નિવેદન કરીને તેમની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. ભોપાલમાં આપેલા વિવાદાસ્‍પદ નિવેદન બાદ શ્વેતા તિવારીની મુશ્‍કેલીઓ વધી શકે છે.
મધ્‍યપ્રદેશના ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ શ્વેતા તિવારીના વિવાદાસ્‍પદ નિવેદન પર સંજ્ઞાન લીધું છે. પત્રકારો સાથે વાત કરતા નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ‘મેં શ્વેતા તિવારીનું નિવેદન સાંભળ્‍યું છે, જોયું છે. હું નિવેદનની નિંદા કરું છું. મેં ભોપાલ પોલીસ કમિશનરને સૂચના આપી છે કે તેઓ તપાસ કરે અને મને જલ્‍દી રિપોર્ટ સોંપે. ત્‍યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે.'
શ્વેતા તિવારીની નવી વેબ સિરીઝની વાત કરીએ તો તેનું શૂટિંગ ભોપાલમાં થવાનું છે. આ વેબ સિરીઝને મનીષ હરિશંકર ડિરેક્‍ટ કરી રહ્યા છે. આ સિરીઝનું નામ ‘શો સ્‍ટોપર્સ' રાખવામાં આવ્‍યું છે. આ સિરીઝમાં રોહિત રાય, કંવલજીત, સુરભરાજ જૈન અને શ્વેતા તિવારી જોવા મળશે.
બાય ધ વે, આ પહેલીવાર નથી જયારે શ્વેતા તિવારી વિવાદમાં ફસાઈ હોય. આ પહેલા તે પોતાના અંગત જીવનને લઈને વિવાદોનો સામનો કરી ચુકી છે. શ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરીએ ખૂબ જ હંગામો મચાવ્‍યો હતો, જે પછી વિવાદો વિવાદોમાં રહ્યા હતા. આ પછી તેના બીજા પતિ અભિનવ કોહલીએ શ્વેતા તિવારી પર તેની પાસેથી પુત્ર છીનવી લેવાનો આરોપ લગાવ્‍યો હતો. હજુ પણ અભિનવ અને શ્વેતા વચ્‍ચેની લડાઈ પૂરી થઈ નથી.

 

(3:20 pm IST)