Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

દેશમાં ત્રીજી લહેરના ભણકારા વચ્ચે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધુ :દેશમાં નવા 30.092 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 41.606 દર્દીઓ રિકવર થયા : વધુ 415 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.21.411 થયો :એક્ટીવ કેસ 3.92.871 થયા : કુલ કેસની સંખ્યા 3.14.39.764 થઇ

સૌથી વધુ કેરળમાં 11.586 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4877 કેસ, તામિલનાડુમાં 1785 કેસ,ઓરિસ્સામાં 1637 કેસ,આંધ્રપ્રદેશમાં 1627 કેસ,કર્ણાટકમાં 1606 કેસ, આસામમાં 1527 કેસ, મણિપુરમાં 989 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 30.092 કેસ નોંધાયા છે. જ્યારે 41.606 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 30.092 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 415 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.21.411 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 30.092 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.14.39.764 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.92.871 થઇ છે છેલ્લા 24 કલાકમાં 41.606 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.06.13.047 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 11.586 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4877 કેસ, તામિલનાડુમાં 1785 કેસ,ઓરિસ્સામાં 1637 કેસ,આંધ્રપ્રદેશમાં 1627 કેસ,કર્ણાટકમાં 1606 કેસ, આસામમાં 1527 કેસ, મણિપુરમાં 989 કેસ નોંધાયા છે

(1:06 am IST)