Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ભાજપના યુપીના રાજયસભાના ઉમેદવાર તરીકે ઝફર ઇસ્લામ

અમરસિંહના અવસાન બાદ બેઠક ખાલી પડી હતી : સિંધીયાના ભાજપ પ્રવેશમાં પણ મહત્વની ભૂમિકા

લખનૌ, તા. ર૭ : સૈયદ ઝફર ઇસ્લામને ભાજપે યુપીમાંથી પોતાના રાજય સભાના ઉમેદવાર બનાવ્યા છે. અમરસિંહના નિધન બાદ ખાલી પડેલ બેઠક ઉપર ૧૧ સપ્ટેમ્બર પેટા ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશમાં ભાજપ પાસે બહુમતી હોવાથી આ બેઠકમાં જીત નકકી છે.

ઝફર ઇસ્લામ ભાજપના પ્રવકતા છે. તેઓ રાજકારણમાં આવ્યા તે પહેલા વિદેશી બેન્કમાં કામ કરતા હતા. નરેન્દ્રભાઇથી પ્રભાવિત થઇ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.  માનવામાં આવે છે કે નરેન્દ્રભાઇ સાથે ઝફર ઇસ્લામને ખુબ જ સારા સંબંધો છે. ઉપરાંત જયોતિરાદીત્ય સીંધીયાની ભાજપની એન્ટ્રીમાં પણ તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી.

(3:05 pm IST)