Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ઓમિક્રોન વેરિયન્ટને અટકાવવા ગુજરાત સરકાર અલર્ટઃ ૧૧ દેશોમાંથી આવનાર માટે RT-PCR ફરજીયાત

નવી દિલ્હી, તા.૨૭: દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ જેને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું તેને લઈને ખૂબ જ ચિંતા ફેલાઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદી પણ તાબડતોબ ટોચના અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર પણ હવે અલર્ટ થઈ ગઈ છે. નોંધનીય છે કે આ વેરિયન્ટનાં કારણે દુનિયાના કેટલાય દેશોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ લાગુ કરી દેવામાં આવી છે

WHOએ પણ દુનિયા આખીને અલર્ટ થઈ જવા માટે ચેતવણી આપી છે. નિષ્ણાતો માને છે કે આ નવો વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ખતરનાક છે.

ગુજરાત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. વેરિયન્ટને ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા માટે ૧૧ દેશોમાંથી ગુજરાત આવતા નાગરિકો પર RT-PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતનાં કોઈ પણ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ દેશથી આવતા લોકોએ RTPCR બતાવવો પડશે.

કયા દેશો માટે લાગુ થશે નિયમ

દ.આફ્રિકા, બોત્સવાના, હોંગકોંગ, ચીન, યૂરોપ, UK, ન્યુઝિલેન્ડ, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે.

(3:13 pm IST)