Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ભાજપે ‘શસ્‍ ત્રો' સજાવ્‍યાઃ ઠાકરે સરકાર થોડા દિ'ની મહેમાન

પ દિવસમાં ઘર ભેગી થશે ૩૧ મહિના જુની ઉધ્‍ધવ સરકાર

મુંબઇ, તા.૨૮: મહારાષ્‍ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્‍ચે ભારતીય જનતા પાર્ટી પણ એક્‍શન મોડમાં દેખાવા લાગી છે. પાર્ટીએ રાજ્‍યમાં મોટા રાજકીય ફેરફારો માટે રણનીતિ તૈયાર કરી હોવાના અહેવાલ છે. સાથે જ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અઠવાડિયે મહારાષ્‍ટ્રમાં નવી સરકારનો દસ્‍તક આવી શકે છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્‍યા હતા કે પૂર્વ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસના ઘરે બેઠકો ચાલી રહી છે.

એક વરિષ્ઠ નેતાએ જણાવ્‍યું છે કે ભાજપે મહા વિકાસ અઘાડી સરકારને તોડવાની રણનીતિ તૈયાર કરી છે. અહેવાલ મુજબ, વરિષ્ઠ નેતાએ કહ્યું, ‘જો બધુ બરાબર રહ્યું તો અમે શનિવાર અથવા રવિવારે રાજ્‍યમાં નવી સરકારની રચનાની અપેક્ષા રાખી શકીએ છીએ.'અહીં રાજ્‍યમાં શિવસેનાની ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે.

એવી શકયતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે કે બળવાખોર નેતા એકનાથ શિંદે એક-બે દિવસમાં મુંબઈ પહોંચી શકે છે અને રાજ્‍યપાલ ભગત સિંહ કોશ્‍યારીને ફ્‌લોર ટેસ્‍ટની અપીલ સાથે પત્ર સુપરત કરી શકે છે. અહેવાલ મુજબ, બીજી યોજના એ છે કે ભાજપ કોશ્‍યારીને ફ્‌લોર ટેસ્‍ટ માટે પત્ર પણ સબમિટ કરી શકે છે અને જો રાજ્‍યપાલ વિશેષ સત્ર બોલાવે છે, તો પક્ષ ખાતરી કરશે કે બળવાખોર ધારાસભ્‍યો હાજર ન થાય. આ પ્‍સ્‍ખ્‍ સરકારનું પતન નક્કી કરશે.

અહેવાલ મુજબ, ભાજપ એમવીએ સરકારને તોડી પાડવા માટે હાઈકમાન્‍ડના આદેશની રાહ જોઈ રહ્યું છે. શિવસેનામાં વિભાજન અને ભાજપ અથવા MNS સાથે જવા અંગે, એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે જો એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેઓ વાસ્‍તવિક શિવસેનાનું પ્રતિનિધિત્‍વ કરે છે, તો ભાજપ અથવા MNS સાથે જોડાવાનો પ્રશ્‍નો જ ઊભો થતો નથી.

તેમણે કહ્યું કે જો વિશેષ સત્રમાં બળવાખોરોની ગેરહાજરીને કારણે સરકાર પડી જાય છે અને નવા સીએમની પસંદગી કરવામાં આવે છે, તો તેઓ તરત જ નવા સ્‍પીકરને પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરશે, જે શિંદેના નેતળત્‍વવાળા જૂથને વાસ્‍તવિક સેના તરીકે ઓળખશે. આગેવાને કહ્યું કે યોજનાઓ માટે ફૂલ-ૂફ હોવું જરૂરી છે. તેમણે કહ્યું, ‘જ્‍યારે દેવેન્‍દ્ર ફડણવીસે અજિત પવાર સાથે વહેલી સવારે શપથ લીધા અને સરકાર બે દિવસથી પણ ઓછા સમય સુધી ચાલી, ત્‍યારે અમે આવી સ્‍થિતિ ઇચ્‍છતા નથી.'

(9:51 am IST)