Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કેરળમાં કોરોનાનો કહેર વધતા ત્રીજી લહેરના ભણકારા : દેશના કુલ કેસના અડધોઅડધ કેસ કેરળમાં : દેશમાં નવા 42.919 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 41.446 દર્દીઓ રિકવર થયા : વધુ 640 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.22.054 થયો :એક્ટીવ કેસ 3.93.499 થયા : કુલ કેસની સંખ્યા 3.14.83.411 થઇ

સૌથી વધુ કેરળમાં 22.129 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6258 કેસ, તામિલનાડુમાં 1767 કેસ,ઓરિસ્સામાં 1629 કેસ,આંધ્રપ્રદેશમાં 1540 કેસ,કર્ણાટકમાં 1501 કેસ, આસામમાં 1436 કેસ, મણિપુરમાં 1165 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 42.919 કેસ નોંધાયા છે. જ્યારે 41.446 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 42.919 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 640 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.22.054 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 42.919 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.14.83.411 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.93.499 થઇ છે છેલ્લા 24 કલાકમાં 41.464 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.06.55.390 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 22.129 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6258 કેસ, તામિલનાડુમાં 1767 કેસ,ઓરિસ્સામાં 1629 કેસ,આંધ્રપ્રદેશમાં 1540 કેસ,કર્ણાટકમાં 1501 કેસ, આસામમાં 1436 કેસ, મણિપુરમાં 1165 કેસ નોંધાયા છે

(1:04 am IST)