Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

મહારાષ્‍ટ્રના રાયગઢમાં મકાન દુર્ઘટનામાં પરિવારને ગુમાવી ચૂકેલ બે બાળકોની દેખભાળ કરશે મંત્રી એકનાથ શિંદે

મહારાષ્‍ટ્રના પીડબલ્‍યૂડી મંત્રી એકનાથ શિંદેએ રાયગઢ-મહારાષ્‍ટ્રમાં પાંચ માળનું મકાન પડવાની ઘટનામાં પોતાના પરિવારને ગુમાવી ચૂકેલ ૪ વર્ષિય બે બાળકોની દેખભાળ કરવાનું એલાન કર્યું છે. શિંદેએ કહ્યું કે એમના પરિવાર દ્વારા સંચાલિત સંસ્‍થા બંને બાળકોના અભ્‍યાસનું ધ્‍યાન રાખશે. આ દુર્ઘટનામાં ૧૬ લોકોના મોતની પુષ્‍ટિ થઇ છે.

(12:35 am IST)