Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

'કોરોનીલ' ટ્રેડમાર્કનો ઉપયોગ કરતા પતંજલીને અટકાવી ન શકાય : સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી તા. ૨૮ : સુપ્રિમ કોર્ટે ઇમ્યુનીટી બુસ્ટીંગ ઉત્પાદનો માટે કોરોનીલ ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાથી પતંજલીને અટકાવવાનો ઇન્કાર કરી દીધો છે. મુખ્ય ન્યાયધીશ એસ. એ. બોબડેએ કહ્યુ કે 'અમે કોરોનીલના ઉપયોગ પર રોક ન લગાવી શકીએ. કેમ કે આ નામનાથી પહેલેથી જ એક કીટનાશકનું ઉત્પાદન થઇ રહ્યુ છે. તેમને પણ માઠી અસર પહોંચી શકે. ચેન્નઇની કંપનીએ ૧૯૯૩ માં 'કોરોનીલ-૯૨ બી' ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવ્યાનો દાવો કર્યો છે.

(12:54 pm IST)