Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

મહારાષ્ટ્રમાં 22મી ઓક્ટોબરે થિયેટરો ખોલવાના નિર્ણયથી બોલીવુડમાં ઉત્સાહ : નવી અનેક ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર

અક્ષયકુમાર, રણવીરસિંહ ,શાહિદ કપૂર,ટાઇગર શ્રોફ,સંજય દત્ત અને સોનુ સુદ સહિતના કલાકારોની નવી ફિલ્મ થશે રિલીઝ

મુંબઈ : મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં આગામી 22 મી ઓકટોબરે થિયેટરો ખોલવાના નિર્ણયને બોલીવુડે વધાવ્યો છે અને આગામી છ-આઠ મહિના માટે અનેક ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર થઈ છે.

 દેશમાં કોરોનાના કેસ હળવા થતાં અનેક નવી ફિલ્મોની રીલીઝ ડેટ જાહેર થઈ છે. જે મુજબ અક્ષયકુમાર-રણવીરસિંહની ફિલ્મ દિવાળીએ, શાહીદકપુરની ફિલ્મ 31 મી ડીસેમ્બરે ટાઈગર શ્રોફ, તારા સુતરિયાની ફિલ્મ હિરોપંતી-2 6 મે 2022 મીએ, અક્ષયકુમારની બચ્ચન પાંડે 4 માર્ચ 2022 મીએ રજુ થશે.

આ ઉપરાંત આ વર્ષે 25 મી ડિસેમ્બરે 1983 નાં વર્લ્ડ કર પર બનેલી ફિલ્મ ‘83’, રજુ થશે. યશરાજ ફિલ્મસે ઘણા સમયથી રોકી રાખેલી અનેક ફિલ્મો પૈકી બંટી બબલી-2, (સૈફઅલીખાન-રાણી મુખર્જી) 19 મી નવેમ્બરે રીલીઝ થશે. જયારે અક્ષયકુમાર માનુષી, સંજયદત, સોનુ સુદ, સ્ટારર ફિલ્મ ‘પૃથ્વીરાજ’, 21 જાન્યુઆરી 2022, જયેશભાઈ જોરદાર, (રણવીરસિંહ શાલીની પાંડે) 25 મી ફેબ્રુઆરી 2022 મીએ તેમજ રણબીરકપુર, વાણીકપુર, સંજયદત સ્ટારર ફિલ્મ ‘સમશેરા’ 18 માર્ચ 2022 ના રોજ રીલીઝ થશે

(10:11 pm IST)