Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વિખ્યાત ક્રિકેટ અમ્પાયર શ્રી બદામી સત્યજી રાવનું મંગળવારે બેંગ્લોર ખાતે નિધન : તેઓ 92 વર્ષના હતા

બેંગ્લોર : વિખ્યાત ક્રિકેટ અમ્પાયર બદામી સત્યજી રાવનું મંગળવારે બેંગ્લોર ખાતે નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. તેઓ તેમની પાછળ તેમના પત્ની શ્રીમતી નાગમણી અને પુત્ર વિનય બદામીને વિલાપ કરતા છોડી ગયા છે.

શ્રી રાવ 1956 માં ફર્સ્ટ ક્લાસ અમ્પાયર બન્યા અને 1981 સુધી તેમણે ક્રિકેટમાં સેવા આપી, અને 1960 અને 1979 ની વચ્ચે 17 ટેસ્ટ મેચમાં અમ્પાયર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જે તે વખતનો એક રેકોર્ડ હતો. અમ્પાયર તરીકે તેમની પ્રથમ ટેસ્ટ ડિસેમ્બર 1960 માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભારત-પાકિસ્તાન મેચ હતી, જ્યારે તેમણે છેલ્લી વખત ફેબ્રુઆરી 1979 માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કાનપુરમાં અમ્પાયરિંગ કર્યું હતું.

(11:45 pm IST)