Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

લકવાથી પીડાતી વળદ્ધાને વાંદરાઓના ટોળાએ હુમલો કરી મારી નાખી : હચમચાવતી ઘટના

 સૂર્યપેટ : એક ભયાનક ઘટનામાં, વાંદરાઓના ટોળાએ રવિવારે સાંજે તેલંગાણાના સૂર્યપેટમાં એક પથારીવશ વળદ્ધા પર હુમલો કરીને મારી નાખેલ છે.  લકવાને કારણે મળતક લાચાર હતી અને આત્‍મકુર (એસ) મંડલના જૂના સૂર્યપેટ ગામમાં વાંદરાઓએ તેના ઘર પર હુમલો કર્યો ત્‍યારે તેનો પરિવાર કામ પર ગયો હતો.

 પોલીસે જણાવ્‍યું કે મળતકની ઓળખ મેટ્ટુ લિંગમ્‍મા તરીકે થઈ છે.  તેણીને બે મહિના પહેલા પેરાલિસીસ હોવાનું નિદાન થયું હતું અને ત્‍યારથી તે પથારીવશ હતી.  તેણી લાચાર બની ગઈ હોવાથી, તેના પુત્ર શંકર આરડીએ તેના માટે ઘરના એક ભાગમાં એક ઓરડો કસ્‍ટમાઇઝ કર્યો હતો જેમાં ઘરને તાળું હોવા છતાં પણ પ્રવેશી શકાય છે.ૅ રવિવારની સાંજે વાંદરાઓનું ટોળું તેના પર ઉતરી આવ્‍યું હતું. તેના આખા શરીર પર બટકા ભર્યાના નિશાન હતા. ખાસ કરીને ચહેરો, કમર અને તેના પગમાં. ઘર શેરીના છેડે આવેલું હોવાથી, મદદ માટે તેણીની બૂમો નિરર્થક ગઈ. તેના પડોશીઓ હુમલાથી સંપૂર્ણપણે અજાણ હતા,ૅ તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું.

 આખો બનાવ ત્‍યારે પ્રકાશમાં આવ્‍યો જ્‍યારે પડોશમાંથી લોકો તેના ઘરે પીવાનું પાણી લેવા આવેલ, પરંતુ ત્‍યાં સુધીમાં મહિલાનું મોત થઈ ગયું હતું.

(4:24 pm IST)