Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૪૪

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો


સદ્દગુણ
‘‘લોકો સારા કામ કરે છે-તે સાચા અર્થમાં સદ્દગુણ નથી-તે ખોટો દેખાવ છે''
સારા કામ કરવાથી સન્‍માન મળે છેતે તમને સારા થવાનો અહંકાર આપે છે. તે તમને એવુ અનુભવ કરાવે છે. કે તમે કોઇ મહત્‍વની વ્‍યકિત છો-ફકત દૂનીયાની નઝરમાં જ નહી પરંતુ ભગવાનની નજરમાં પણ-તમે ભગવાનનો સામનો કરો ત્‍યારે તમારા સારા કાર્યો બતાવી શકો. તે અહંકાર યુકત છે.અને ધાર્મિકતા અહંકારી ના હોઇ શકે.
એવું નથી કે ધાર્મિક વ્‍યકિત અનૈતીક છે પરંતુ તે-નૈતીક પણ નથી તેનુ ચરીત્ર પ્રવાહી જેવું છે, દરેક ક્ષણે બદલાયા કરે છે પરિસ્‍થિતી પ્રમાણે પ્રતિભાવ આપે છ.ે કોઇ નીヘીત અભીગમ અથવા વિચાર ધારા નથી.
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(11:02 am IST)