Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલની આગની દુર્ઘટનાની ન્યાયિક તપાસ હાઇકોર્ટના નિવૃત જજ કે,એ,પુંજને સોંપવાનો મુખ્યમંત્રી રૂપાણીનો નિર્ણંય

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ Covid હોસ્પિટલ માં બે દિવસ પૂર્વે લાગેલી આગની દુર્ઘટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઇકોર્ટના  નિવૃત જજ કે. એ પુંજ ને સોંપવાનો નિર્ણય કર્યો છે.

આ અગાઉ અમદાવાદમાં તાજેતરના ભૂતકાળમાં  શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશનને સોંપવામાં આવી હતી
હવે મુખ્ય મંત્રી વિજય  ભાઈ રૂપાણીએ રાજકોટની હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજને સોંપવાનો  નિર્ણય કર્યો છે

(7:09 pm IST)